Vartman Pravah
Breaking Newsવાપી

ઉદવાડાના વેપારીનું ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર અજાણ્‍યા વાહને એક્‍ટીવાને ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

સામાનમાંથી આધારકાર્ડ મળ્‍યાથી મૃતકની ઓળખ થઈ : પરીયા રોડ ઉપર દુકાન ચલાવતા મૃતક નટવરલાલ શર્મા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22
‘‘ન જાણ્‍યુ જાનકી નાથે કાલે સવારે શું થાશે” આ યુક્‍તિ આજે બુધવારે ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર ઘટેલ અકસ્‍માતની ઘટનામાં સાબિત થઈ હતી.
ઉદવાડા પરીયા રોડ ઉપર ચામુંડા જનરલ સ્‍ટોર્સ નામની દુકાન ચલાવતા નટવરલાલ શર્મા નામનો વેપારી તેમની એક્‍ટીવા નં.જીજે 15 ડીએન 3215 લઈને ધંધાના કામે ધરમપુર જવા આજે સવારે નિકળ્‍યા હતા. નાનાપોંઢા-ધરમપુર રોડ ઉપર કોઈ અજાણ્‍યા વાહન તેમની એક્‍ટીવાને ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાઈ ગયા હતા. ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્‍થળે જ કરુણ મોત નિપજ્‍યું હતું. આવતા-જતા વાહન ચાલકો પૈકી કોઈએ ધરમપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્‍થળે આવી તેમના સામાનની તપાસ કરતા મળી આવેલ આધારકાર્ડ ઉપરથી ઓળખ થઈ હતી કે મૃતક ઉદવાડાના વેપારી નટવરલાલ શર્મા હતા.

Related posts

દાનહમાં બાંધકામને લગતી કામગીરીની પ્રક્રિયા ઓનલાઇન કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપ કોંગ્રેસ શિવસેના કે અપક્ષો સહિત તમામ રાજકીય-જૂથો પાસે નથી કોઈ એજન્‍ડા કે વિકાસની દીર્ઘદૃષ્‍ટિ

vartmanpravah

આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની વ્‍હારે આવતી જીવદયા ગ્રુપ પારડી

vartmanpravah

તા.૭ મી ના રોજ યોજનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા અન્વયે નવસારી જિલ્લામાંથી એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન

vartmanpravah

ખેરગામ પોલીસે રૂમલાથી સિમેન્ટના બ્લોકની આડમાં ટ્રેક્ટરમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

vartmanpravah

કમોસમી વરસાદથી નુકશાન વળતર આપવામાં વલસાડ જિલ્લો બાકાત રખાતા ખેડૂતોમાં રોષ

vartmanpravah

Leave a Comment