April 29, 2024
Vartman Pravah
Breaking Newsવાપી

ઉદવાડાના વેપારીનું ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર અજાણ્‍યા વાહને એક્‍ટીવાને ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

સામાનમાંથી આધારકાર્ડ મળ્‍યાથી મૃતકની ઓળખ થઈ : પરીયા રોડ ઉપર દુકાન ચલાવતા મૃતક નટવરલાલ શર્મા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22
‘‘ન જાણ્‍યુ જાનકી નાથે કાલે સવારે શું થાશે” આ યુક્‍તિ આજે બુધવારે ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર ઘટેલ અકસ્‍માતની ઘટનામાં સાબિત થઈ હતી.
ઉદવાડા પરીયા રોડ ઉપર ચામુંડા જનરલ સ્‍ટોર્સ નામની દુકાન ચલાવતા નટવરલાલ શર્મા નામનો વેપારી તેમની એક્‍ટીવા નં.જીજે 15 ડીએન 3215 લઈને ધંધાના કામે ધરમપુર જવા આજે સવારે નિકળ્‍યા હતા. નાનાપોંઢા-ધરમપુર રોડ ઉપર કોઈ અજાણ્‍યા વાહન તેમની એક્‍ટીવાને ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાઈ ગયા હતા. ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્‍થળે જ કરુણ મોત નિપજ્‍યું હતું. આવતા-જતા વાહન ચાલકો પૈકી કોઈએ ધરમપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્‍થળે આવી તેમના સામાનની તપાસ કરતા મળી આવેલ આધારકાર્ડ ઉપરથી ઓળખ થઈ હતી કે મૃતક ઉદવાડાના વેપારી નટવરલાલ શર્મા હતા.

Related posts

ઉમરગામથી ક્રિષ્‍નાભાઈ ગુમ થયા

vartmanpravah

કોલક ડુંગરીવાળી ખાતે ડમ્‍પરમાં પાછળથી બાઈક ઘૂસી જતા અકસ્‍માતઃ પિતા તથા સાત વર્ષના બાળકનું કરૂણ મોત

vartmanpravah

દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષની વયજૂથના કિશોર-કિશોરીઓનું 100 ટકા થયેલું કોવિડ વેક્‍સિનેશન

vartmanpravah

મગરવાડા ગૃપ ગ્રામ પંચાયત વિસ્‍તારના વોર્ડ નંબર 3માં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત’ ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા અંગે રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

વલસાડના નંદીગ્રામમાં સાંઈ મકરંદ દવેનીભવ્‍ય જન્‍મ શતાબ્‍દી ઉજવી શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં લઈ દીવમાં ગણેશ ઉત્સવ દરમિયાન નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરાયું તો આઈપીસીની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવા દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયનું ફરમાન

vartmanpravah

Leave a Comment