April 29, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ પીપરીયામાં નિર્માણાધીન ફલાય ઓવરબ્રીજ માટે કલેકટર દ્વારા ભારી વાહનોના અવર-જવર માટે ડાયવર્ઝન અંગે જારી કરાયેલો આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22
દાદરા નગર હવેલીમાં પ્રશાસાન દ્વારા વિવિધ વિકાસની પરિયોજનાઓ ચાલી રહી છે. જેમા રીંગરોડ ફ્‌લાયઓવર બ્રીજ સ્‍કાયવોક વગેરે સામેલ છે. પીપરીયામાં રીંગરોડ જંક્‍શન પર ફ્‌લાય ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યુ છે. જ્‍યાંથી ભારી વાહનોના અવરજવરનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોવાનેકારણે બ્રીજના કામમા અવરોધ આવે છે જેના કારણે પ્રસાશન દ્વારા નવો ડાયવર્ઝન નિર્દેશિત કરવામા આવ્‍યો છે. એ માટે જિલ્લા મેજિસ્‍ટ્રેટ ડો.રાકેશ મિન્‍હાસ દ્વારા પીપરીયા બ્રીજ જંક્‍શન પર જતા દરેક વાહનો માટે ધારા 144 લાગુ કરતા પ્રશાસન દ્વારા નવો ડાયવર્ઝન પર જ ચાલવાનો નિર્દેશ કર્યો છે.
ઉપરોક્‍ત દૃષ્ટિગણ રાખતા અને દંડ પ્રક્રિયા સંહિતા 1973ની ધારા 144 અંતર્ગત આદેશ જારી કરવામા આવ્‍યો છે. આગલા આદેશ સુધી પીપરીયા પુલથી સેલવાસ અને બીજા રસ્‍તાનો ઉપયોગ માટે પ્રતિબંધિત છે. ભારી મોટરવાહનો અને નાના વાહનો માટે શરુ કરવામા આવેલ ડાયવર્ઝનનો જ ઉપયોગ કરવાનો રહેશે એજન્‍સી દ્વારા અવરજવર માટે આવશ્‍યક સંકેતો ઉપલબ્‍ધ કરાવશે બેરીકેડ અને રસ્‍તાઓને બંધ કરવા માટે પર્યાપ્ત માત્રામા બ્‍લીકર અને રીફલેકટર લગાવશે.
પોલીસ અધિક્ષક દાનહ દ્વારા પિપરીયા જંક્‍શન પર આજુબાજુમાં રહેતા નિવાસીઓ માટે અવરજવર માટે પ્રવેશ/નિકાસને નિયંત્રિત કરવા માટે જરૂરી માત્રામાં સ્‍ટાફ ઉપસ્‍થીત રાખશે. આ આદેશનો ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્‍યક્‍તિ ભારતીય દંડ સંહિતાની ધારા 188 મુજબ દંડનીય થશે. ઉપરોક્‍ત નિર્દેશોનો ઉલ્લંઘન કરનાર વાહનોને જપ્ત કરી નિર્ધારિત અર્થદંડ આપ્‍યા બાદ છોડવામા આવશે. આ આદેશ તાત્‍કાલિક પ્રભાવથી લાગુ થશેઅને જારી થયેલ તારીખથી 30 દિવસ સુધી લાગુ રહેશે.

Related posts

વાપીમાં લઘુઉદ્યોગ ભારતી મીટિંગ યોજાઈ : એસ.એસ.આઈના વિકાસ અને પ્રશ્નો અંગે ઉદ્યોગપતિ સાથે પરામર્શ કરાયો

vartmanpravah

દાનહમાં બી.એસ.સી. અને નર્સિંગ કોલેજમાં એડમિશન નહીં મળતાં વિદ્યાર્થીનીઓએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડની હોસ્‍પિટલ ઝેનિથ ડોક્‍ટર હાઉસે ખરા અર્થમાં ડોક્‍ટર્સ ડે ની ઉજવણી કરી

vartmanpravah

સેલવાસ ઝંડાચોક ઉપર વારંવાર થઈ રહેલો અકસ્‍માતઃ સોમવારે ફરી કન્‍ટેઈનરચાલકે વળાંક લેતી વખતે આઝાદી સ્‍મારક સ્‍તંભને ફાલકો અડાડી દેતાં થયેલું નુકસાન

vartmanpravah

કપરાડામાં મિલેટ ફેસ્‍ટીવલ દિવસની ઉજવણી, ખેડૂતોને વધુમાં વધુ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો

vartmanpravah

નવસારી જિલ્લામાં રાહુલ ગાંધીની સભાને લઈને કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ચીખલી તાલુકાના ખૂડવેલ અને વાંસદાની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment