July 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ પીપરીયામાં નિર્માણાધીન ફલાય ઓવરબ્રીજ માટે કલેકટર દ્વારા ભારી વાહનોના અવર-જવર માટે ડાયવર્ઝન અંગે જારી કરાયેલો આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22
દાદરા નગર હવેલીમાં પ્રશાસાન દ્વારા વિવિધ વિકાસની પરિયોજનાઓ ચાલી રહી છે. જેમા રીંગરોડ ફ્‌લાયઓવર બ્રીજ સ્‍કાયવોક વગેરે સામેલ છે. પીપરીયામાં રીંગરોડ જંક્‍શન પર ફ્‌લાય ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યુ છે. જ્‍યાંથી ભારી વાહનોના અવરજવરનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોવાનેકારણે બ્રીજના કામમા અવરોધ આવે છે જેના કારણે પ્રસાશન દ્વારા નવો ડાયવર્ઝન નિર્દેશિત કરવામા આવ્‍યો છે. એ માટે જિલ્લા મેજિસ્‍ટ્રેટ ડો.રાકેશ મિન્‍હાસ દ્વારા પીપરીયા બ્રીજ જંક્‍શન પર જતા દરેક વાહનો માટે ધારા 144 લાગુ કરતા પ્રશાસન દ્વારા નવો ડાયવર્ઝન પર જ ચાલવાનો નિર્દેશ કર્યો છે.
ઉપરોક્‍ત દૃષ્ટિગણ રાખતા અને દંડ પ્રક્રિયા સંહિતા 1973ની ધારા 144 અંતર્ગત આદેશ જારી કરવામા આવ્‍યો છે. આગલા આદેશ સુધી પીપરીયા પુલથી સેલવાસ અને બીજા રસ્‍તાનો ઉપયોગ માટે પ્રતિબંધિત છે. ભારી મોટરવાહનો અને નાના વાહનો માટે શરુ કરવામા આવેલ ડાયવર્ઝનનો જ ઉપયોગ કરવાનો રહેશે એજન્‍સી દ્વારા અવરજવર માટે આવશ્‍યક સંકેતો ઉપલબ્‍ધ કરાવશે બેરીકેડ અને રસ્‍તાઓને બંધ કરવા માટે પર્યાપ્ત માત્રામા બ્‍લીકર અને રીફલેકટર લગાવશે.
પોલીસ અધિક્ષક દાનહ દ્વારા પિપરીયા જંક્‍શન પર આજુબાજુમાં રહેતા નિવાસીઓ માટે અવરજવર માટે પ્રવેશ/નિકાસને નિયંત્રિત કરવા માટે જરૂરી માત્રામાં સ્‍ટાફ ઉપસ્‍થીત રાખશે. આ આદેશનો ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્‍યક્‍તિ ભારતીય દંડ સંહિતાની ધારા 188 મુજબ દંડનીય થશે. ઉપરોક્‍ત નિર્દેશોનો ઉલ્લંઘન કરનાર વાહનોને જપ્ત કરી નિર્ધારિત અર્થદંડ આપ્‍યા બાદ છોડવામા આવશે. આ આદેશ તાત્‍કાલિક પ્રભાવથી લાગુ થશેઅને જારી થયેલ તારીખથી 30 દિવસ સુધી લાગુ રહેશે.

Related posts

દાદરાઃ ઘરમાં ઘુસી મારામારી કરી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરનાર આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડિયા અંતર્ગત હિન્‍દી વક્‍તવ્‍ય સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સના સ્‍ટાફ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી છરવાડા રાજ રાજેશ્વરી વિદ્યા મંદિરમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહ રોટરી ક્‍લબના પૂર્વ પ્રમુખ અને ડાયરેક્‍ટર વિરલ રાજપૂતે દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની લીધેલી મુલાકાતઃ જ્ઞાનની પરબ શરૂ કરવા બદલ સરપંચશ્રીને આપેલા અભિનંદન

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તા.13 થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણના દરેક ઉદ્યોગોની ઈમારત ઉપર તિરંગો લહેરાશેઃ ડીઆઈએની બેઠકમાં લેવાયેલો નિર્ણય

vartmanpravah

Leave a Comment