Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી નગરપાલિકામાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત સામાજીક સંસ્‍થા અને વેપારી એસોસિએશનની બેઠક યોજાઈ

દેશપ્રેમ અને વિશ્વ રેકર્ડ સ્‍થાપવા તા.13 થી 15 ઓગસ્‍ટ દરમિયાન ઠેર ઠેર તિરંગો લહેરાવાની ચર્ચા હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04
અત્‍યારે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર દ્વારા હર ઘર તિરંગાનું આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત મિશન ચલાવવામાં આવી રહ્યું છે. જેને તમામ સ્‍તરે સફળ બનાવવા માટે ઠેર ઠેર ભગીરથ પ્રયાસો હાલમાં ચાલી રહ્યા છે તે અંતર્ગત આજે ગુરૂવારે વાપી નગરપાલિકા હોલમાં હર ઘર તિરંગાની સભા યોજાઈ હતી. વાપીની સામાજીક સંસ્‍થાઓ, વેપારીએસોસિએશન અને અગ્રણી નાગરિકોએ બેઠકમાં ભાગ લીધો હતો.
વાપી નગરપાલિકા સભાખંડમાં પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન શિલ્‍પેનભાઈ દેસાઈ અને નગર સેવકોની ઉપસ્‍થિતિમાં હર ઘર તિરંગા બેઠક યોજાઈ હતી. આગામી તા.13 થી 15 ઓગસ્‍ટ ત્રણ દિવસ વાપીના દરેક ઘરે, દુકાને, ઓફીસ, કંપની-ફેક્‍ટરીઓમાં તિરંગો લહેરાય તેવી ચર્ચા હાથ ધરાઈ હતી. આઝાદી કા અમૃત મહોત્‍સવના 75 વર્ષ પૂર્ણ કરી 76મા વર્ષમાં દેશ પ્રવેશી રહ્યો છે ત્‍યારે દેશપ્રેમ અને વર્લ્‍ડ રેકર્ડ સ્‍થાપવાના સર્વોચ્‍ચ હેતુ સાથે હર ઘર તિરંગા અભિયાન સફળ બનાવવાની જાહેર અપીલ સભામાં કરવામાં આવી હતી.
—–

Related posts

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા 15મી ઓગસ્‍ટે સ્‍વતંત્રતા દિન સમારંભ મોટી દમણ લાઈટ હાઉસ બીચ ખાતે યોજાશેઃ 9 વાગ્‍યે ધ્‍વજારોહણ

vartmanpravah

દાનહમાં ફ્રૂટ માર્કેટ ગલીમાં આગ લાગતા એક દુકાનને નુકસાન

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા 75મા સંવિધાન દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ હંમેશ માટે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું ઋણી રહેશે કારણ કે …

vartmanpravah

દાનહના માજી સાંસદ સ્‍વ. મોહનભાઈ ડેલકરના પુણ્‍ય સ્‍મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણવાડા સ્‍કૂલમાં આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment