April 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

નજીકના કરવડમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ

આગે વિકરાળ રૂપ ધારણ કરી આજુબાજુના અન્‍ય ચાર ગોડાઉનોને પણ લપેટમાં લીધા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27
વાપી કરવડ રોડ ઉપર આવેલ એક વેરહાઉસમાં સોમવારે મળસ્‍કે ભિષણ આગ લાગી હતી. આગની રોદ્રતા એટલી હતી કે ચપોચપ આજુબાજુના અન્‍ય ત્રણથી ચાર ગોડાઉનોને લપેટમાં લઈ લીધા હતા. મધરાતે લાગેલી આગને લઈ આખા વિસ્‍તારમાં ભયના માહોલ સાથે દોડધામ મચી જવા પામી હતી.
વાપી ડુંગરી ફળીયાથી કરવડ ગામ સુધી રોડની બન્ને તરફ ભંગારના ગોડાઉનોગંજ લાગેલો છે. કરવડ ગામ નજીક નુર કાંટા પાસે આવેલ એક વેર હાઉસમાં સોમવારે સવારે ત્રણથી પાંચ વાગ્‍યાના સુમારે આસપાસ અચાનક ભિષણ આગ લાગી હતી. આગને લઈ અન્‍ય ગોડાઉન પણ આગની લપેટમાં આવી ગયા હતા. ગોડાઉનોમાં ભંગારના કેમીકલ-સોલવન્‍ટના ડ્રમોનો વિશાળ જથ્‍થો હોવાથી જોતજોતામાં આગ બેકાબુ બની ગઈ હતી. ફાયર ફાઈટરોની લાઈન લાગી ગઈ હતી. બે-ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ કરી લેવાયો હતો.

Related posts

ધરમપુર સહિત આદિવાસી વિસ્‍તારમાં ડ્રીમ-900 તથા ઈગલ સ્‍માર્ટ કંપની દ્વારા કરોડોની છેતરપીંડી અંગે રજૂઆત

vartmanpravah

સેલવાસના મસાટ ખાતે નિર્મિત ઓઆઈડીસીના અદ્યતન ગોડાઉનની સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી મુલાકાત

vartmanpravah

બારસોલ ગામે ફરજ ઉપરના જી.ઈ.બી.ના કર્મચારીને માર મારવાના ગુનામાં ૩ આરોપીઓને ધરમપુરના જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટે ત્રણ વર્ષની સજા ફટકારી

vartmanpravah

વલસાડમાં મેજીસ્‍ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામામાં ગણેશજીની મૂર્તિની 9 ફૂટ ઊંચાઈ અંગે ગણેશ મંડળોનો વિરોધ

vartmanpravah

શહાદાના ઈસમે સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદીના બ્રિજ ઉપરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાપી-પલસાણા પાસે કોસ્‍ટલ હાઈવે ઉપર બે કાર ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : ત્રણ બાળકો સહિત 8 ઘાયલ એક મોત

vartmanpravah

Leave a Comment