Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

નજીકના કરવડમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ

આગે વિકરાળ રૂપ ધારણ કરી આજુબાજુના અન્‍ય ચાર ગોડાઉનોને પણ લપેટમાં લીધા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27
વાપી કરવડ રોડ ઉપર આવેલ એક વેરહાઉસમાં સોમવારે મળસ્‍કે ભિષણ આગ લાગી હતી. આગની રોદ્રતા એટલી હતી કે ચપોચપ આજુબાજુના અન્‍ય ત્રણથી ચાર ગોડાઉનોને લપેટમાં લઈ લીધા હતા. મધરાતે લાગેલી આગને લઈ આખા વિસ્‍તારમાં ભયના માહોલ સાથે દોડધામ મચી જવા પામી હતી.
વાપી ડુંગરી ફળીયાથી કરવડ ગામ સુધી રોડની બન્ને તરફ ભંગારના ગોડાઉનોગંજ લાગેલો છે. કરવડ ગામ નજીક નુર કાંટા પાસે આવેલ એક વેર હાઉસમાં સોમવારે સવારે ત્રણથી પાંચ વાગ્‍યાના સુમારે આસપાસ અચાનક ભિષણ આગ લાગી હતી. આગને લઈ અન્‍ય ગોડાઉન પણ આગની લપેટમાં આવી ગયા હતા. ગોડાઉનોમાં ભંગારના કેમીકલ-સોલવન્‍ટના ડ્રમોનો વિશાળ જથ્‍થો હોવાથી જોતજોતામાં આગ બેકાબુ બની ગઈ હતી. ફાયર ફાઈટરોની લાઈન લાગી ગઈ હતી. બે-ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ કરી લેવાયો હતો.

Related posts

દમણમાં દરિયા કિનારે વિસર્જીત કરાયેલ ગણેશ મૂર્તિઓ ક્ષત-વિક્ષત હાલતમાં જોવા મળતા ભાવિકોની લાગણી દુભાઈ

vartmanpravah

પદ, પ્રતિષ્ઠા, પાવર કે પૈસા સિવાય પણ મનુષ્યની અંદર વસતા ભગવાનના કારણે જ માનવનું ગૌરવ છે, તેજ ખરૂં મનુષ્ય ગૌરવ છેઃ પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રોજેક્‍ટ નિરીક્ષણ અભિયાનનું સમાપન : શાબાસી અને ઠપકાનો સમન્‍વય

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા આયોજીત ‘થનગનાટ નવરાત્રી મહોત્‍સવ’માં આવતી કાલે સેલવાસના હવેલી ગ્રાઉન્‍ડમાં ખેલૈયાઓના ઘોડાપૂર ઉમટશેઃ વિશાળ મેદાન પણ ટૂંકુ લાગશે

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલની આજે પ્રથમ પુણ્‍ય તિથિ : સત્‍કાર્યોની તાજી થતી યાદો

vartmanpravah

દાનહ-સામરવરણી પંચાયત ખાતે ઓર્ગેનિક ખાતર અંગે જાણકારી અપાઈ

vartmanpravah

Leave a Comment