January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

નજીકના કરવડમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ

આગે વિકરાળ રૂપ ધારણ કરી આજુબાજુના અન્‍ય ચાર ગોડાઉનોને પણ લપેટમાં લીધા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27
વાપી કરવડ રોડ ઉપર આવેલ એક વેરહાઉસમાં સોમવારે મળસ્‍કે ભિષણ આગ લાગી હતી. આગની રોદ્રતા એટલી હતી કે ચપોચપ આજુબાજુના અન્‍ય ત્રણથી ચાર ગોડાઉનોને લપેટમાં લઈ લીધા હતા. મધરાતે લાગેલી આગને લઈ આખા વિસ્‍તારમાં ભયના માહોલ સાથે દોડધામ મચી જવા પામી હતી.
વાપી ડુંગરી ફળીયાથી કરવડ ગામ સુધી રોડની બન્ને તરફ ભંગારના ગોડાઉનોગંજ લાગેલો છે. કરવડ ગામ નજીક નુર કાંટા પાસે આવેલ એક વેર હાઉસમાં સોમવારે સવારે ત્રણથી પાંચ વાગ્‍યાના સુમારે આસપાસ અચાનક ભિષણ આગ લાગી હતી. આગને લઈ અન્‍ય ગોડાઉન પણ આગની લપેટમાં આવી ગયા હતા. ગોડાઉનોમાં ભંગારના કેમીકલ-સોલવન્‍ટના ડ્રમોનો વિશાળ જથ્‍થો હોવાથી જોતજોતામાં આગ બેકાબુ બની ગઈ હતી. ફાયર ફાઈટરોની લાઈન લાગી ગઈ હતી. બે-ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ કરી લેવાયો હતો.

Related posts

કપરાડા જામગભાણ નજીક પોલીસે પીકઅપ જીપમાં ચાર અબોલ જીવોને કતલખાને જતા ઉગાર્યા

vartmanpravah

દમણમાં વિવિધ મંડળો દ્વારા સ્‍થાપિત અઢી દિવસની શ્રીજીની મૂર્તિનું કરાયેલું વિસર્જન

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ‘અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા મહોત્સવ’માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: શ્રીમદ્દ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે

vartmanpravah

ધરમપુર પીપળોદ ગામે આદિવાસીઓ દ્વારા પરંપરાગત વરસાદી દેવની પૂજા કરાઈ

vartmanpravah

પાલ ગામ સ્‍થિત શાળા ક્રમાંક 319માં કારગીલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે વીર વંદના કાર્યક્રમ યોજાયો

vartmanpravah

77મા સમાગમની સેવાઓનું વિધિવત ઉદ્ધાટન

vartmanpravah

Leave a Comment