Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-ખેરગામ વાડ ખાડીના બ્રિજની જર્જરિત રેલીંગના સમારકામ માટે ગાંધીનગરથી ઉચ્‍ચ અધિકારીઓની સૂચના બાદ પણ સ્‍થાનિક અધિકારીઓ ઘોર નિંદ્રામાં

ગાંધીનગરની તપાસ ટીમે પુલના સળિયા અને રેલિંગ ખરાબ થઈ ગઈ હોય તેને સુધારવા માટે સૂચના આપી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.08: ચીખલીથી ખેરગામને જોડતા મુખ્‍યમાર્ગ પર વાડ ખાડી પર આવેલ પુલની જર્જરિત હાલત અકસ્‍માતને નોતરું આપી રહી હોય આ બાબતે ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ પણ કરી સૂચના આપી હોવા છતાં સ્‍થાનિક તંત્રના અધિકારીઓની ઊંઘ નહિ ઉડી હોવાની પ્રતિતિ હાલની પરિસ્‍થિતિ જોઈને જણાય રહ્યું છે.
ચીખલીથી પસાર થતો ખેરગામ તાલુકાને જોડતો રાજ્‍ય ધોરી માર્ગ પર વાડ ખાડી નદી પરનો બ્રિજ આશરે 25 વર્ષ જૂનો હોઈ અને હાલમાં જર્જરિત સાથે ખખડધજ રેલીંગમાંથી સળિયા બહાર નીકળતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચીખલી તાલુકામાંથી જતો રાજ્‍ય ધોરી માર્ગ ખેરગામ તાલુકાને જોડતો માર્ગ પર વાડ ખાડી નદીપર વર્ષોથી બનેલો આ બ્રિજને જલ્‍દી મરામત કરવામાં નહિ આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, આ બાબતે વધુ તપાસ હાથ ધરતા ચોંકાવનારી માહિતી એ મળી કે આ પુલની જર્જરિતા બાબતે ગાંધીનગરની તપાસ ટીમ દ્વારા તપાસમાં આ પુલના સળિયા અને રેલિંગ ખરાબ થઈ ગઈ હોય સુધારા માટે સૂચના આપી હતી.
માત્ર મલાઈદાર કામો અને ટકાવારીમાં જ રસ દાખવતા સ્‍થાનિક તંત્રના અધિકારીઓ દ્વારા આ બાબતે સમારકામ બાબતે નીરસ વલણ જ દાખવ્‍યું જેના પાપે આજે પણ આ પુલની હાલત જોખમી જણાય રહી છે.
ઉચ્‍ચ અધિકારીઓના આદેશની પણ અવગણના કરનાર સ્‍થાનિક તંત્રને ઉચ્‍ચ અધિકારીઓ ફરજના પાઠ શીખવે તે આવશ્‍યકતા વર્તાય રહી છે.

Related posts

પારડી તાલુકાના ટૂકવાડા-મોરાઈ ગામ ખાતે બની ગોઝારી ઘટના: કોલક નદીમાં ન્‍હાવા આવેલા વાપીના 6 સગીરો પૈકી પાંચને બચાવાયા, એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah

દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા મોરખલમાં આરક્ષિત જંગલની જમીન પર કબ્‍જો કરનાર બે વ્‍યક્‍તિની કરાયેલી ધરપકડ

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે દમણ કોર્ટ પરિસરમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈઃ કારોબારી અને ન્‍યાય સમિતિઓની અધ્‍યક્ષોની વરણી કરાઈ

vartmanpravah

દમણ-દીવ લોકસભા ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે વરકુંડ ગ્રામ પંચાયત વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરી ભાજપને વોટ આપવા લોકોને કરેલી અપીલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલી સલામ મુજબ દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં જિ.પં. સભ્‍યોએ જમ્‍પોર સુધી ઈ-બસમાં કરેલી મુસાફરી

vartmanpravah

Leave a Comment