February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-ખેરગામ વાડ ખાડીના બ્રિજની જર્જરિત રેલીંગના સમારકામ માટે ગાંધીનગરથી ઉચ્‍ચ અધિકારીઓની સૂચના બાદ પણ સ્‍થાનિક અધિકારીઓ ઘોર નિંદ્રામાં

ગાંધીનગરની તપાસ ટીમે પુલના સળિયા અને રેલિંગ ખરાબ થઈ ગઈ હોય તેને સુધારવા માટે સૂચના આપી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.08: ચીખલીથી ખેરગામને જોડતા મુખ્‍યમાર્ગ પર વાડ ખાડી પર આવેલ પુલની જર્જરિત હાલત અકસ્‍માતને નોતરું આપી રહી હોય આ બાબતે ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ પણ કરી સૂચના આપી હોવા છતાં સ્‍થાનિક તંત્રના અધિકારીઓની ઊંઘ નહિ ઉડી હોવાની પ્રતિતિ હાલની પરિસ્‍થિતિ જોઈને જણાય રહ્યું છે.
ચીખલીથી પસાર થતો ખેરગામ તાલુકાને જોડતો રાજ્‍ય ધોરી માર્ગ પર વાડ ખાડી નદી પરનો બ્રિજ આશરે 25 વર્ષ જૂનો હોઈ અને હાલમાં જર્જરિત સાથે ખખડધજ રેલીંગમાંથી સળિયા બહાર નીકળતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચીખલી તાલુકામાંથી જતો રાજ્‍ય ધોરી માર્ગ ખેરગામ તાલુકાને જોડતો માર્ગ પર વાડ ખાડી નદીપર વર્ષોથી બનેલો આ બ્રિજને જલ્‍દી મરામત કરવામાં નહિ આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, આ બાબતે વધુ તપાસ હાથ ધરતા ચોંકાવનારી માહિતી એ મળી કે આ પુલની જર્જરિતા બાબતે ગાંધીનગરની તપાસ ટીમ દ્વારા તપાસમાં આ પુલના સળિયા અને રેલિંગ ખરાબ થઈ ગઈ હોય સુધારા માટે સૂચના આપી હતી.
માત્ર મલાઈદાર કામો અને ટકાવારીમાં જ રસ દાખવતા સ્‍થાનિક તંત્રના અધિકારીઓ દ્વારા આ બાબતે સમારકામ બાબતે નીરસ વલણ જ દાખવ્‍યું જેના પાપે આજે પણ આ પુલની હાલત જોખમી જણાય રહી છે.
ઉચ્‍ચ અધિકારીઓના આદેશની પણ અવગણના કરનાર સ્‍થાનિક તંત્રને ઉચ્‍ચ અધિકારીઓ ફરજના પાઠ શીખવે તે આવશ્‍યકતા વર્તાય રહી છે.

Related posts

સરકારની સ્માર્ટ ફોન યોજનાથી વલસાડ જિલ્લાના ખેડૂતો સ્માર્ટ બન્યા, કૃષિક્ષેત્રે નવી ટેકનોલોજી સાથે કદમ મેળવ્યા

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા પ્રિમોન્‍સુનકામગીરી માટે ખાસ રોબોટનો ઉપયોગ કરાયો: દેશની યુટીઓમા પહેલું રોબોટ મશીન દાનહ પ્રશાસનને મળ્‍યું

vartmanpravah

સેલવાસમાં પાંચ ઇંચ અને ખાનવેલમાં દસ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

વાપી-વલસાડ રેલવે લાઈન વચ્ચે બે અકસ્માત સર્જાયા: સરોધી નજીક અજાણ્‍યાએ આપઘાત કર્યો : વલસાડ સ્‍ટેશને યુવાન પટકાયો

vartmanpravah

શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજીત જગન્નાથ ભગવાનની 13મા વર્ષની રથયાત્રાનો ડુંગરા તળાવથી મંગળવારે થશે પ્રારંભ: રથ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે

vartmanpravah

વાપી થર્ડફેઝમાં મોબાઈલ રીચાર્જ કરાવી માલિકે પૈસા માંગતા ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

Leave a Comment