Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-ખેરગામ વાડ ખાડીના બ્રિજની જર્જરિત રેલીંગના સમારકામ માટે ગાંધીનગરથી ઉચ્‍ચ અધિકારીઓની સૂચના બાદ પણ સ્‍થાનિક અધિકારીઓ ઘોર નિંદ્રામાં

ગાંધીનગરની તપાસ ટીમે પુલના સળિયા અને રેલિંગ ખરાબ થઈ ગઈ હોય તેને સુધારવા માટે સૂચના આપી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.08: ચીખલીથી ખેરગામને જોડતા મુખ્‍યમાર્ગ પર વાડ ખાડી પર આવેલ પુલની જર્જરિત હાલત અકસ્‍માતને નોતરું આપી રહી હોય આ બાબતે ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ પણ કરી સૂચના આપી હોવા છતાં સ્‍થાનિક તંત્રના અધિકારીઓની ઊંઘ નહિ ઉડી હોવાની પ્રતિતિ હાલની પરિસ્‍થિતિ જોઈને જણાય રહ્યું છે.
ચીખલીથી પસાર થતો ખેરગામ તાલુકાને જોડતો રાજ્‍ય ધોરી માર્ગ પર વાડ ખાડી નદી પરનો બ્રિજ આશરે 25 વર્ષ જૂનો હોઈ અને હાલમાં જર્જરિત સાથે ખખડધજ રેલીંગમાંથી સળિયા બહાર નીકળતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચીખલી તાલુકામાંથી જતો રાજ્‍ય ધોરી માર્ગ ખેરગામ તાલુકાને જોડતો માર્ગ પર વાડ ખાડી નદીપર વર્ષોથી બનેલો આ બ્રિજને જલ્‍દી મરામત કરવામાં નહિ આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, આ બાબતે વધુ તપાસ હાથ ધરતા ચોંકાવનારી માહિતી એ મળી કે આ પુલની જર્જરિતા બાબતે ગાંધીનગરની તપાસ ટીમ દ્વારા તપાસમાં આ પુલના સળિયા અને રેલિંગ ખરાબ થઈ ગઈ હોય સુધારા માટે સૂચના આપી હતી.
માત્ર મલાઈદાર કામો અને ટકાવારીમાં જ રસ દાખવતા સ્‍થાનિક તંત્રના અધિકારીઓ દ્વારા આ બાબતે સમારકામ બાબતે નીરસ વલણ જ દાખવ્‍યું જેના પાપે આજે પણ આ પુલની હાલત જોખમી જણાય રહી છે.
ઉચ્‍ચ અધિકારીઓના આદેશની પણ અવગણના કરનાર સ્‍થાનિક તંત્રને ઉચ્‍ચ અધિકારીઓ ફરજના પાઠ શીખવે તે આવશ્‍યકતા વર્તાય રહી છે.

Related posts

વાપીના ઉદ્યોગપતિઓએ કેન્‍દ્રીય વાહન વ્‍યવહાર મંત્રી ગડકરીને હાઈવેની દુર્દશા માટે પત્ર લખ્‍યો

vartmanpravah

વલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અને મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

vartmanpravah

દમણથી પ્રકાશિત હિન્‍દી દૈનિક અસલી આઝાદીના તંત્રી અને માલિક વિજય ભટ્ટના માતૃશ્રી ઉષાબેન ભટ્ટનું નિધન: સ્‍વ. ઉષાબેન ભટ્ટે પોતાના સંતાનોને સંઘર્ષ અને સેવાના સિંચેલા સંસ્‍કાર

vartmanpravah

કપરાડા માંડવાના ઘાટ ઉપર કન્‍ટેનર પલટી જતા બાઈક ચાલક કચડાઈ જતા મોત નિપજ્‍યું

vartmanpravah

ગરીબોના મસિહા નિતિન જાની ઉર્ફે ખજુરભાઈ વલસાડમાં દિવ્‍યાંગ દિકરી-માને પાકુ મકાન બનાવી આપશે

vartmanpravah

ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગની વચ્‍ચેના ડીવાઈડર ઉપર ધૂળનો જમેલોઃ રાત્રી દરમ્‍યાન વાહનચાલકોને સફેદ પટ્ટા નહિ દેખાતા મોટી દુર્ઘટનાની જોવાતી રાહ?

vartmanpravah

Leave a Comment