April 19, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

દમણના નસરવાનજી પેટ્રોપ પંપ પર આયુષ્‍માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના શિબિર યોજાઈ

આયુષ્‍માન ભારત પ્રધાન મંત્રી જનઆરોગ્‍ય યોજના તમામ વર્ગના લોકો માટે વરદાન છે : દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30
આજરોજ દમણના નસરવાનજી પેટ્રોપ પંપ પર આયુષ્‍માનભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજનાનો કેમ્‍પ રાખવામાં આવ્‍યો હતો.જેમાં દમણના લોકોએ ભારે ઉત્‍સાહથી આ યોજનાનો લાભ લીધો હતો. જેમાં ઘણા નવા આયુષ્‍માન ભારત યોજનાના કાર્ડ બનવવા ઈચ્‍છુક વ્‍યકિતઓએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું અને જો આયુષ્‍માન કાર્ડ ગત વર્ષે બની ગયો હોય અને જો આ કાર્ડનો લાભ લેવા ઈચ્‍છતા લોકોએ રિન્‍યુ પણ કરાવ્‍યો હતો. લોકોમાં આરોગ્‍ય પ્રત્‍યે જાગરૂકતા જોવા મળી હતી.
આ અવસરે દમણ ભાજપ જિલ્લા પ્રમુખ અને દમણ નગર પાલિકા કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયા, પ્રદેશ ઉપાધ્‍યક્ષ શ્રી મહેશભાઈ અગરિયા, પ્રદેશ કાર્યાલય મંત્રી શ્રી પ્રકાશભાઈ ટંડેલ, ભાજપ દમણ જિલ્લા ઉપાધ્‍યક્ષ રૂક્ષ્મણી ભાનુશાલી, ભાજપ કાર્યકર્તા શ્રી મહેન્‍દ્રભાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ અવસરે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાએ દમણવાસીઓને આગ્રહ કરતા જણાવ્‍યું હતું કે પ્રધાનમંત્રી જનકલ્‍યાણકારી યોજનાનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ કારણ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને દમણ પ્રશાસનના સહયોગથી ફક્‍ત 3091 રૂપિયામાં આ યોજનાનો લાભ મળે છે. જેનો લાભ દરેક મધ્‍યમવર્ગીય લોકોએ લાભ લેવો જોઈએ. કારણ કે જ્‍યારે તબિયત બગડે છે અને ઓપરેશન કરવાની સ્‍થિતિ અથવા મોટી બિમારીની સારવાર કરવાની હોય ત્‍યારે તેવા સમયે પરિવારે આર્થિકમુશ્‍કેલીનો સામનો કરવો છે, ત્‍યારે આયુષ્‍માન ભારત કાર્ડ આશીર્વાદરૂપ ભૂમિકા ભજવે છે. એટલે જ દરેક એવા પરિવારો અને દમણના રહેવાસીઓને આ યોજનાનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે, ફરી પાછો આ કેમ્‍પ તા.2જી જાન્‍યુઆરી, 2022ના રોજ કોમ્‍યુનિટી હોલ, ઢાકલી કી વાડી, વોર્ડ નં.7, નાની દમણમાં રાખવામાં આવ્‍યો છે, જેઓ આ યોજનાનું રજીસ્‍ટ્રેશન અથવા રીન્‍યુ કરવા માંગતા હોય, તો, તેઓ રિન્‍યુ કરાવી શકે છે અને ફરીથી આ યોજનાનો લાભ લઈ શકે છે.
આ પ્રસંગે દમણ ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાએ શિબિરના કરાયેલા આયોજન બદલ પ્રશાસનનો આભાર માન્‍યો હતો.

Related posts

દીવ ન.પા.ના બે મહિલા કાઉન્‍સિલરોનો નિખાલસ એકરાર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ સહિત દમણ અને દાનહની પોતાના દિકરા જેવી લીધેલી માવજત

vartmanpravah

ધરમપુરના માલનપાડામાં યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રાથમિક મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસમાં ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધા યોજાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 પ્રાથમિક શિક્ષણ વિભાગ દાનહની પાલિકા સંચાલિત મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસ ખાતે ધોરણ1થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધાનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓના અંગ્રેજીના શબ્‍દોની ચકાસણી કરવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં ધોરણ 1થી 5મા અરૂંધતી રોય ગ્રુપ અને ધોરણ 6થી 8વિલ્‍યમ શેક્‍સપિયર ગ્રુપે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતુ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે હિન્‍દી મીડીયમ શાળાના આચાર્ય બ્રજભૂષણ ઝા અને ગુજરાતી મીડીયમના આચાર્ય કળષ્‍ણાબેન માત્રોજા ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

ભિલાડથી સોનલબેન ગુમ થયા

vartmanpravah

સેલવાસના આરડીસી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જતાં સેલવાસના આરડીસી તરીકે પ્રિયાંક કિશોરની કરાયેલી નિયુક્‍તિઃ દાનિક્‍સ અધિકારી કરણજીત વાડોદરિયાને સેલવાસ સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. તરીકેની આપવામાં આવેલી જવાબદારી

vartmanpravah

દમણ સ્‍પોર્ટ્‍સ વિભાગના સહાયક શારીરિક શિક્ષણ અધિકારી કાંતિભાઈ પટેલ સેવાનિવૃત્ત થતાં આપેલું વિદાયમાન

vartmanpravah

Leave a Comment