Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણસેલવાસ

દાદરા નગર હવેલીમાં વડાપ્રધાનશ્રી મોદીજીના આગમનને આવકારવા વિવિધ કાર્યક્રમો યોજાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24: આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દાદરા નગર હવેલી અને દમણની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમનને સત્‍કારવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ ‘અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દાનહ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં પ્રદેશની તમામ 278 શાળાઓના બાળકોને તિથિભોજન આપવામાં આવ્‍યું હતું અને તમામ શાળાઓમાં ‘વેલકમ મોદીજી’ મેગા રંગોળી બનાવવામાં આવી હતી. સાથે શાળાને રંગબેરંગી લાઈટીંગથી શણગારવામાં આવી છે. નરોલી ચાર રસ્‍તા ઓરિયન ઇમ્‍પીરીયા મોલ, સેલવાસ ટોકરખાડા લેન્‍ડમાર્ક મોલ, દાદરા પંચાયતની બાજુમાં, રખોલી ત્રણ રસ્‍તા, ખાનવેલ ચાર રસ્‍તા અને દૂધની પંચાયતની બાજુમાં પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ લોક નૃત્‍ય, પ્રાદેશિક નૃત્‍ય રજૂ કરવામાં આવ્‍યા હતા.
નરોલી પંચાયતમાં પ્રધાનમંત્રી શ્રી મોદીજીના સ્‍વાગત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્‍કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ અવસરે નરોલી પંચાયતના સરપંચ શ્રીમતીલીલાબેન પટેલ, એડવોકેટ સની ભિમરા, ભાજપા યુવા મોરચાના શ્રી વિશ્વરાજસિંહ દોડીયા, શ્રી અવધેશ ચૌહાણ, પંચાયત સભ્‍ય શ્રી યોગેશસિંહ સોલંકી, શ્રીમતી જુલી સોલંકી સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઘેજમાં આદિવાસી ઈસમને મારી નાખવાની ધમકી બાદ આદિવાસીઓ ખેરગામ પો.સ્‍ટે.માં ધસી ગયા

vartmanpravah

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં બદલી થતાં દીવ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી વૈભવ રિખારીને ભાવભીની વિદાય અપાઈ

vartmanpravah

પારડી ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સામાજિક અધિકારીતા શિબિરમાં 1696 દિવ્‍યાંગોને નિઃશુલ્‍ક સહાય વિતરણ કરાયું

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહની મુલાકાતે મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થતાં દાનહ ખાતે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલો સંવાદ

vartmanpravah

વાપીમાં નવીન સ્‍ટાર્ટઅપ ટિકકુ કોન્‍ડિમેન્‍ટ્‍સ પ્રા.લી.નું કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઈએ ઉદઘાટન કર્યું

vartmanpravah

ચીખલીમાં સ્‍વચ્‍છતા અને પાણી બાબતે નિયમોનું પાલન નહીં કરનારાઓને ચેતવણી આપવા લાઉડ સ્‍પીકરવાળી રીક્ષા ફેરવાઈ

vartmanpravah

Leave a Comment