October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ગોરગામમાં અયોધ્‍યા પ્રાણ પ્રતિષ્‍ઠામાં ફોડાયેલ ફટાકડાઓએ ઘર ફૂટી બાળ્‍યું

રોહિતવાસમાં રહેતા પરમાર પરિવારનું સંપુર્ણ ઘર આગમાં ખાખ થઈ ગયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: અયોધ્‍યામાં સોમવારે ભગવાન શ્રી રામના નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ ઉજવાયો હતો. લોકોએ ભક્‍તિભાવ આનંદ ઉત્‍સાહમાં અનેક જુદા જુદા કાર્યક્રમોના આયોજન કરી ઉજવણી કરી હતી પરંતુ વલસાડના ગોરગામમાં રહેતા પરમાર પરિવાર માટે આ ઉત્‍સવ આનંદ આફતમાં પરિણમ્‍યો હતો. ગામમાં પ્રાણ પ્રતિષ્‍ઠા પ્રસંગે ફટાકડા રોકેટ ફોડીને આનંદ કરતા હતા ત્‍યાં એક રોકેટ પરમાર પરિવારના ઘરમાં ઘૂસી જતા આખું ઘર આગની લપેટોમાં આવી ખાખ થઈ ગયું હતું.
ગોરગામમાં આવેલ રોહીતવાસમાં મિલનભાઈ પરમાર અને તેમની પત્‍ની યોગીની પરમાર પરિવાર સાથે રહે છે. પ્રાણ પ્રતિષ્‍ઠાના દિવસે રાત્રે 9 વાગ્‍યાના સુમારે પરિવાર જમવા બેઠો હતો ત્‍યારે અચાનક બહારથી એક રોકેટ ઘરમાં આવી પડતા તુરત આગ લાગી હતી. આગે જોતજોતામાં ભિષણ સ્‍વરૂપ ધારણ કરી દેતા ઘર આખુ ભડભડ બળવા લાગ્‍યું હતું. પરિવારના સભ્‍યો સલામત રીતે બહાર દોડી આવ્‍યા હતા. ગામ લોકો મદદે દોડી આવ્‍યા હતા પરંતુ તે પહેલાં ઘર બળીને ખાખ થઈ ચૂક્‍યું હતું. પરમાર પરિવાર માટે રામ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ આનંદમાં નહી પણ આફતમાં પરિણમ્‍યોહતો.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઓગસ્‍ટ માસ માટે વરકુંડ વિભાગના જિ.પં. સભ્‍ય અને સરપંચને ભથ્‍થાંની ચૂકવણી કરાતા જિ.પં. સભ્‍ય સદાનંદ મીટનાએ પ્રશાસનનો માનેલો આભાર

vartmanpravah

સેલવાસના સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્માની સેલવાસ પોલીસે કરેલી અટકાયતઃ જમીન કૌભાંડના સંદર્ભમાં થઈ રહેલી પૂછપરછ

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્યરત ત્રણ આઈ.એ.એસ. અને 2 આઈ.પી.એસ. અધિકારીઓની બદલી

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ દ્વારા ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ નિમિત્તે નાગરિકોને તમાકુ અને તેની બનાવટવાળી વસ્‍તુઓના સેવનથી થતાં નુકસાનની આપેલી માહિતી

vartmanpravah

આજે વાપીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના જન્‍મ દિવસની ઉજવણી : રક્‍તદાન કેમ્‍પ-ફ્રૂટ વિતરણ કરાશે

vartmanpravah

રાજ્‍ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની સીધી ખરીદી કરશે : ખરીદી કેન્‍દ્રો ખાતે તા.31મી ઓક્‍ટોબર સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે : જિલ્લાના ગોડાઉનો ખાતે 17મી ઓક્‍ટોબરથી 31મી ડિસેમ્‍બર સુધી ખરીદી થશે

vartmanpravah

Leave a Comment