April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ગોરગામમાં અયોધ્‍યા પ્રાણ પ્રતિષ્‍ઠામાં ફોડાયેલ ફટાકડાઓએ ઘર ફૂટી બાળ્‍યું

રોહિતવાસમાં રહેતા પરમાર પરિવારનું સંપુર્ણ ઘર આગમાં ખાખ થઈ ગયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: અયોધ્‍યામાં સોમવારે ભગવાન શ્રી રામના નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ ઉજવાયો હતો. લોકોએ ભક્‍તિભાવ આનંદ ઉત્‍સાહમાં અનેક જુદા જુદા કાર્યક્રમોના આયોજન કરી ઉજવણી કરી હતી પરંતુ વલસાડના ગોરગામમાં રહેતા પરમાર પરિવાર માટે આ ઉત્‍સવ આનંદ આફતમાં પરિણમ્‍યો હતો. ગામમાં પ્રાણ પ્રતિષ્‍ઠા પ્રસંગે ફટાકડા રોકેટ ફોડીને આનંદ કરતા હતા ત્‍યાં એક રોકેટ પરમાર પરિવારના ઘરમાં ઘૂસી જતા આખું ઘર આગની લપેટોમાં આવી ખાખ થઈ ગયું હતું.
ગોરગામમાં આવેલ રોહીતવાસમાં મિલનભાઈ પરમાર અને તેમની પત્‍ની યોગીની પરમાર પરિવાર સાથે રહે છે. પ્રાણ પ્રતિષ્‍ઠાના દિવસે રાત્રે 9 વાગ્‍યાના સુમારે પરિવાર જમવા બેઠો હતો ત્‍યારે અચાનક બહારથી એક રોકેટ ઘરમાં આવી પડતા તુરત આગ લાગી હતી. આગે જોતજોતામાં ભિષણ સ્‍વરૂપ ધારણ કરી દેતા ઘર આખુ ભડભડ બળવા લાગ્‍યું હતું. પરિવારના સભ્‍યો સલામત રીતે બહાર દોડી આવ્‍યા હતા. ગામ લોકો મદદે દોડી આવ્‍યા હતા પરંતુ તે પહેલાં ઘર બળીને ખાખ થઈ ચૂક્‍યું હતું. પરમાર પરિવાર માટે રામ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ આનંદમાં નહી પણ આફતમાં પરિણમ્‍યોહતો.

Related posts

સેલવાસ યુથ ક્‍લબ દ્વારા મૂકબધિર ક્રિકેટ ખેલાડીઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરાયેલું આયોજન ચેમ્‍પિયન બનેલી વલસાડની ટીમ : સુરત રનર્સ અપ

vartmanpravah

1989માં મુખ્‍ય સચિવ આર.પી.રાયે કહ્યું હતું: વિકાસ એટલે છેવાડેના વ્‍યક્‍તિથી લઈ ટોચ સુધીના દરેકને ફળવા-ફૂલવાનો મળતો અવસર એટલે શિક્ષણ ઉપર ખાસ ધ્‍યાન

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિમાં ભગવાન શિવના જયઘોષ સાથે શિવની કથાને વિરામ અપાયો

vartmanpravah

ચાઈનીસ દોરી વિરૂધ્‍ધ વલસાડ પોલીસે કાર્યવાહી કરી : 59 ફીરકી સાથે ડુંગરીના વેપારીની અટક

vartmanpravah

ચીખલી તાલુકામાં વરસાદથી ડાંગરના પાકને થયેલ નુકસાનો સર્વે કરી સહાય ચુકવવા ખેડૂતોની માંગ

vartmanpravah

કિલ્લા પારડી ખાતે પુસ્‍તક પરબ દ્વારા પ્રથમ વાર્ષિકોત્‍સવ ઉજવાશે

vartmanpravah

Leave a Comment