March 29, 2024
Vartman Pravah
Breaking Newsવલસાડ

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ અંગેના પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવાઇ

વલસાડઃ ૩૧: ગુજરાત સરકાર, શ્રમ અને રોજગાર વિભાગ, દ્વારા દિવ્‍યાંગ વ્‍યકિતઓના કલ્‍યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૧ ના નીચે દર્શાવેલ કેટેગરીમાં રાજયકક્ષાના દિવ્‍યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં શારિરીક ક્ષતિ ધરાવતી શ્રેષ્‍ઠ કાર્યક્ષમ વ્‍યકિતઓ / સ્‍વરોજગાર કરતી દિવ્‍યાંગ વ્‍યકિતઓ, દિવ્‍યાંગોને નોકરી રાખનાર શ્રેષ્‍ઠ નોકરીદાતાઓ તથા દિવ્‍યાંગ વ્‍યકિતઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્‍લેસમેન્‍ટ ઓફીસર્સ અરજી કરી શકશે. આ કેટેગરીઓની અરજીઓનો નમૂનો www.talimrojgar.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી તથા જિલ્લા રોજગાર કચેરી, વલસાડ ખાતેથી વિના મૂલ્‍યે તા.૨૧/૧/૨૦૨૨ સુધીમાં મળી શકશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્‍ટ કાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવાના રહેશે. નોકરીદાતા તેમજ પ્‍લેસમેન્‍ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપુરી વિગતો જણાવવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો અચૂક સામેલ કરવાના રહેશે. ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્‍તાવેજો સહિત આ કચેરીને તા.૨૧/૧/૨૦૨૨ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જરૂરી બિડાણો સહિત મળી જાય તે રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે. આ અંગે જાણકારી માટે જિલ્લા રોજગાર કચેરી વલસાડ, નગરપાલિકા સભાગૃહ, પહેલો માળ, સ્‍ટેડિયમ રોડ, વલસાડ અથવા નગર રોજગાર કચેરી ધરમપુરનો સંપર્ક સાધવા જિલ્લા રોજગાર અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

વલસાડ-ડુંગરી રેલવે અપ-ડાઉન ટ્રેક ઉપર રાત્રે ગૌવંશો ટ્રેન અડફેટે આવી જતા મોતને ભેટયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ ખાતે ઞ્‍20 એંગેજમેન્‍ટ ગ્રુપ મીટિંગનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

શહીદ દિવસ નિમિત્તે ધરમપુર આર.એસ.એસ. આયોજિત રક્તદાન શિબિરમાં ૧૫૬ યુનિટ રક્તા એકત્રિત થયું

vartmanpravah

સુરત-નાશિક-અહમદનગર ભારતમાલા પ્રોજેક્‍ટના વિરોધમાં અસરગ્રસ્‍ત આદિવાસી સમાજના ખેડૂતોએ મામલતદારને વાંધા અરજી આપી

vartmanpravah

પ્રદેશ ભાજપના સેલવાસ જિલ્લા ગ્રામીણ બૂથ સશક્‍તિકરણ અભિયાનના કાર્યનો આરંભ

vartmanpravah

વાપી સેન્‍ટર ઓફ એક્‍સીલન્‍સમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સોલાર સિસ્‍ટમનું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment