March 26, 2023
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રાનું વાપીમાં અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું

બાબા જય ગુરુદેવ સંસ્‍થાનના સ્‍થાપક પૂ.પંકજજી મહારાજની યાત્રા ભારત ભ્રમણે 77 દિવસ માટે નિકળી છે : વાપીમાં સ્‍વાગત અને સભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રા આજે વાપીમાં આવી પહોંચતા અનુયાયીઓએ યાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું.
જય બાબા ગુરુદેવ સંસ્‍થાન મથુરાના સ્‍થાપક ગુરુ શ્રી પૂજ્‍ય પંકજજી મહારાજ મથુરાથી ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રા લઈને નિકળ્‍યા છે. ભારત ભ્રમણ કરતી યાત્રા વાપીમાં આવી પહોંચી હતી. ચણોદ મધર ઈંગ્‍લીશ સ્‍કૂલ પાસે યાત્રાનું અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું. બાદમાં યાત્રા સત્‍સંગ સભામાં ફેરવાઈ હતી. સમાજમાં સદાચાર, ધર્માચાર, શાકાહાર અને સદાચારનો પ્રસાર-પ્રચાર થાય તે માટે જય બાબાગુરુદેવએ યાત્રાનું આયોજન કર્યું હતું. યાત્રા ભારતમાં 77 દિવસ વિવિધ રાજ્‍યોમાં ફરજે. આજે યાત્રા વાપીમાં આવી પહોંચી હતી. અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કરી બાબા જય ગુરુદેવનો જય જયકાર કર્યો હતો.

Related posts

ફોરવ્‍હીલર વાહનોની GJ-15-CM સીરીઝમાં પસંદગીનો નંબર મેળવો

vartmanpravah

3D બહુજન સમાજ પાર્ટી દ્વારા ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના 66મા મહાપરિનિર્વાણ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કપરાડા તાલુકા સરપંચ સંઘની મિટીંગ યોજાઈ : પ્રમુખ તરીકે નાનાપોંઢાના સરપંચ મુકેશ પટેલની વરણી

vartmanpravah

સેલવાસ-ખાનવેલ સાકરતોડ નદીમાં આવેલા પૂરના કારણે આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્‍યા

vartmanpravah

કુકેરી ગામે રાત્રી દરમ્‍યાન લટાર મારતા બે દીપડાનો વીડિયો વાઈરલ થતાં સ્‍થાનિકોમાં ગભરાટ

vartmanpravah

સેલવાસના સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્મા અને ખાનવેલના એલ.આર.ઓ. બ્રિજેશ ભંડારીની પોલીસે કરેલી ધરપકડઃ 6 દિવસના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

Leave a Comment