March 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રાનું વાપીમાં અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું

બાબા જય ગુરુદેવ સંસ્‍થાનના સ્‍થાપક પૂ.પંકજજી મહારાજની યાત્રા ભારત ભ્રમણે 77 દિવસ માટે નિકળી છે : વાપીમાં સ્‍વાગત અને સભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રા આજે વાપીમાં આવી પહોંચતા અનુયાયીઓએ યાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું.
જય બાબા ગુરુદેવ સંસ્‍થાન મથુરાના સ્‍થાપક ગુરુ શ્રી પૂજ્‍ય પંકજજી મહારાજ મથુરાથી ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રા લઈને નિકળ્‍યા છે. ભારત ભ્રમણ કરતી યાત્રા વાપીમાં આવી પહોંચી હતી. ચણોદ મધર ઈંગ્‍લીશ સ્‍કૂલ પાસે યાત્રાનું અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું. બાદમાં યાત્રા સત્‍સંગ સભામાં ફેરવાઈ હતી. સમાજમાં સદાચાર, ધર્માચાર, શાકાહાર અને સદાચારનો પ્રસાર-પ્રચાર થાય તે માટે જય બાબાગુરુદેવએ યાત્રાનું આયોજન કર્યું હતું. યાત્રા ભારતમાં 77 દિવસ વિવિધ રાજ્‍યોમાં ફરજે. આજે યાત્રા વાપીમાં આવી પહોંચી હતી. અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કરી બાબા જય ગુરુદેવનો જય જયકાર કર્યો હતો.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતે પારદર્શક વહીવટ અને વિકાસ કામોના સોશિયલ ઓડિટ ઉપર કરેલી ચર્ચા

vartmanpravah

નેશનલ લોક અદાલતના દિવસે પારડી કોર્ટ ખાતે થયું લોક અદાલતનું આયોજન

vartmanpravah

મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે યોજાયો શિવ સિન્‍ધુ મહોત્‍સવ

vartmanpravah

વાપીમાં આજે આયુષ્‍યમાન કાર્ડ અને શ્રમિક કાર્ડ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાશે

vartmanpravah

હાર્દિક જોશીની કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ વાપીમાં સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધર્યું

vartmanpravah

તેજલાવ ગામે લોનના બાકી હપ્તા લેવા ગયેલ મહેન્‍દ્ર ફાઈનાન્‍સના કર્મચારી ઉપર પાવડાથી હુમલો

vartmanpravah

Leave a Comment