April 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રાનું વાપીમાં અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું

બાબા જય ગુરુદેવ સંસ્‍થાનના સ્‍થાપક પૂ.પંકજજી મહારાજની યાત્રા ભારત ભ્રમણે 77 દિવસ માટે નિકળી છે : વાપીમાં સ્‍વાગત અને સભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રા આજે વાપીમાં આવી પહોંચતા અનુયાયીઓએ યાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું.
જય બાબા ગુરુદેવ સંસ્‍થાન મથુરાના સ્‍થાપક ગુરુ શ્રી પૂજ્‍ય પંકજજી મહારાજ મથુરાથી ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રા લઈને નિકળ્‍યા છે. ભારત ભ્રમણ કરતી યાત્રા વાપીમાં આવી પહોંચી હતી. ચણોદ મધર ઈંગ્‍લીશ સ્‍કૂલ પાસે યાત્રાનું અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું. બાદમાં યાત્રા સત્‍સંગ સભામાં ફેરવાઈ હતી. સમાજમાં સદાચાર, ધર્માચાર, શાકાહાર અને સદાચારનો પ્રસાર-પ્રચાર થાય તે માટે જય બાબાગુરુદેવએ યાત્રાનું આયોજન કર્યું હતું. યાત્રા ભારતમાં 77 દિવસ વિવિધ રાજ્‍યોમાં ફરજે. આજે યાત્રા વાપીમાં આવી પહોંચી હતી. અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કરી બાબા જય ગુરુદેવનો જય જયકાર કર્યો હતો.

Related posts

પીએમ મોદીએ આઇકોનિક વીકમાં જન સમર્થ પોર્ટલ લોન્‍ચ કર્યું: દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જીએસટી વિભાગ દ્વારા થયેલી જીવંત પ્રસારણની વ્‍યવસ્‍થા

vartmanpravah

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપીમાં વ્‍યાખ્‍યાનમાળા અંતર્ગત મિસ.વિધિ વાઘેલા દ્વારા ‘‘ઇન્‍ટરવ્‍યૂ કેવી રીતે આપી શકાય” તે વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ વલસાડના ગેમઝોનમાં પાલિકા દ્વારા તપાસ હાથ ધરાઈ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન : અસંભવથી સંભવ, નમો મેડિકલ કોલેજનો આરંભ અને માંડ દોઢ વર્ષમાં 331 પોસ્‍ટો માટે નાણાં મંત્રાલયની મંજૂરી

vartmanpravah

દાનહમાં ઉત્‍સાહભેર રક્ષાબંધનની કરાયેલી ઉજવણી

vartmanpravah

પારડીના સુખેશમાં વંદે ગુજરાત વિકાય યાત્રા પહોંચી, 520 લાભાર્થીને નાણામંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર અને ચેક એનાયત કરાયા

vartmanpravah

Leave a Comment