April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં કોરોનાની રફતાર યથાવત બુધવારે અધધ… વધુ 387 પોઝિટીવ કેસ નોંધાયા

સતત ત્રણ દિવસથી 300 ઉપરાંત પોઝિટિવ કેસ : બેના મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19
વલસાડ જિલ્લા કોરોનાના ભરડામાં દિન-પ્રતિદિન આવી ચૂક્‍યો છે. કોરોનાની રફતાર દિન-પ્રતિદિન વધી રહી છે. સંક્રમણનો હુમલો બુધાવારે 387 કેસોને આંબી ગયો હતો. પાછલા ત્રણ દિવસથી દરરોજ 300 ઉપરાંત કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે.
વલસાડજિલ્લામાં આઘાત પહોંચાડે તેવી સ્‍થિતિમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. બુધવારે નવા 387 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્‍યારે ર17 દર્દીઓને રજા અપાઈ હતી. બે દર્દીના મૃત્‍યુ થયા હતા. કોરોનાની રફતારમાં વલસાડ વિસ્‍તાર પ્રારંભથીજ અગ્રેસર રહેલ છે. આજે 19ર કેસ નોંધાયા હતા. જ્‍યારે પારડીમાં 80, વાપીમાં 66, ઉમરગામમાં રપ, ધરમપુરમાં ર3 અને કપરાડામાં ર1 નવા કેસો નોંધાયા છે.
જો કે રાહતના સમાચાર એ છે કે આ વખતે મૃત્‍યુદર નહિવત રહ્યો છે અને લોકો કોરોનાને મહાત કરી વધુમાં વધુ સારા થઈ રહ્યા છે. પરંતુ કોરોનાને લોકો હજુ પણ સહજ લઈ રહ્યા છે તે ખતરનાર છે. કોરોનાની ગાઈડલાઈનના લોકો ધજાગરા ઉડાવી રહ્યા છે તે ભવિષ્‍ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

Related posts

પ્રાકૃતિક ખેતીમાં મિશ્રપાક પદ્ધતિ ખેડૂતો માટે બની ફળદાયી: ધરમપુર તિસ્‍કરી તલાટના ખેડૂતે ડ્રેગન ફ્રુટની સાથે મરચાં અને ગલગોટાની ખેતી કરી મેળવ્‍યું વધુ ઉત્‍પાદન

vartmanpravah

સરીગામ ત્રણ રસ્‍તા અને નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારી ગલ્લાવાળાઓના દબાણો દૂર કરાયા

vartmanpravah

નવસારી જિલ્લાના જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીનો અંધેર વહીવટ :અરજીઓનો સમય વિતવા છતાં વંકાલ ગામના તળાવ સહિત ખેડૂતોના ખેતરની હદ માપણી માટે અરજદારોએ ધક્કા ખાવાની પડેલી નોબત

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય દિવસ પર અનુરાગ સિંહ અને મનિષ ઝા દ્વારા વિશેષ સેમિનારનું સમાપન

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે દમણવાડા ગ્રા.પં.માં માતૃ અને વિદ્યા શક્‍તિ’નો સાક્ષાત્‍કાર

vartmanpravah

વલસાડમાં ડેંગ્‍યુની બિમારીથી યુવતિએ જીવ ગુમાવ્‍યો

vartmanpravah

Leave a Comment