January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

રાષ્‍ટ્રિય સેવા યોજના દાદરા નગર હવેલી અને દમણ અને દીવના સ્‍વયંસેવકોની દિલ્‍હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિવસ પરેડમાં થયેલી પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ અંતર્ગત રાષ્‍ટ્રીય સેવા યોજના સરકારી કોલેજ દમણ અને સરકારી કોલેજ દીવના રાષ્‍ટ્રીય સેવા યોજનાના બે સ્‍વયંસેવકોની 26મી જાન્‍યુઆરી 2022ના નવી દિલ્‍હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિવસની પરેડમાં દમણ કોલેજના સ્‍વયંસેવક શ્રી રાહુલ સિંઘ અને દીવકોલેજના કુમારી સિદ્ધિ બારિયાની પસંદગી થયેલ છે.
આ અગાઉ પૂર્વ પસંદગી માટે દાદરા નગર હવેલી, દમણ અને દીવ જિલ્લાના 10 સ્‍વયંસેવકો જલગાંવ (મહારાષ્‍ટ્ર) ખાતે ભાગ લીધેલ હતો. જેમાંથી બે સ્‍વયંસેવકોની દિલ્‍હી ખાતે 26ની જાન્‍યુઆરી,2022ના આયોજિત પ્રજાસત્તાક દિવસ પરેડમાં પસંદગી થઈ ેછે. એક મહિના સુધી ચાલનાર આ પ્રજાસત્તાક પરેડ કેમ્‍પમાં વિભિન્ન કાર્યક્રમો સાથે સ્‍વયંસેવકો પરેડની સઘન તાલીમ મેળવશે અને પોતાના પ્રદેશના સાંસ્‍કળતિક વારસાને પ્રદર્શિત કરશે.
આ સંદર્ભે શિક્ષણ સચિવ શ્રીમતી પૂજા જૈનના માર્ગદર્શન હેઠળ રાષ્‍ટ્રીય સેવા યોજના વિભિન્ન એકમો દ્વારા ત્રણે જિલ્લાઓ દાદરા નગર હવેલી, દમણ અને દીવ જિલ્લાઓમાં વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યો દ્વારા પોતાની આગવી ઓળખ પ્રસ્‍થાપિત કરી છે .
પ્રજાસત્તાક દિવસની પરેડમાં પસંદ થનાર સ્‍વયંસેવકોને રાષ્‍ટ્રીય સેવા યોજનાના રાજ્‍ય અધિકારી શ્રી ગૌરાંગ વોરા, સરકારી કોલેજ દમણ અને સરકારી કોલેજ દીવના આચાર્યશ્રી, કાર્યક્રમ અધિકારીશ્રીઓ દ્વારા અભિનંદન અને શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી. પસંદ થયેલા સ્‍વયંસેવકો ગુજરાત રાજ્‍યની ટૂકડીના ભાગરૂપે અમદાવાદથી દિલ્‍હી જવા માટે પ્રસ્‍થાન કર્યુ છે.

Related posts

વાપી વી.આઈ.એ. દ્વારા સોફટવેલ ટેકનોલોજી ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સ્‍પો તા.22 થી 24 ડિસે. સુધી શરૂ

vartmanpravah

વાપી જીઆઈડીસી ભીડભંજન દેરાસરમાં પાશ્વનાથ ભગવાનને ચાંદી અને ફુલોની આંગી કરાઈ

vartmanpravah

પારડી ઍન.કે. દેસાઈ કોલેજમાં ઉલ્હાસ-૨૦૨૨ અંતર્ગત આંતર શાળા હરિફાઈઓ યોજાઈ

vartmanpravah

નેશનલ સપોર્ટ-ડે નિમિત્તે નારગોલ ખાતે તાલુકા કક્ષાનો રમતોત્‍સવ ઉજવાયો

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને દીવમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની 25મી બેઠક યોજાઈ

vartmanpravah

સંદર્ભઃ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમનું ખાનગીકરણ_ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના દરેક નિર્ણયમાં દાનહ અને દમણ-દીવનું વિશાળ હિત સંકળાયેલું રહે છે ત્‍યારે…

vartmanpravah

Leave a Comment