September 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ શાળામાં ‘આનંદ મેળા’નું આયોજન થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: સમગ્ર ભારતમાં 14મી નવેમ્‍બરના રોજ પંડિત જવાહરલાલ નહેરુનાં જન્‍મ દિન નિમિત્તે ‘બાળ દિન’ તરીકે ઉજવવામાં આવે છે. આ જ બાબતને ધ્‍યાનમાં રાખી વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘આનંદ મેળા’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બાળકોએ ‘બાળ દિન’ નિમિત્તે મુક્‍ત મને અનેરો આનંદ પ્રાપ્ત કર્યો હતો.
આનંદ મેળામાં વિવિધ ખાણી-પીણીની સ્‍ટોલ તેમજ રમત-ગમતની સ્‍ટોલ લગાવવામાં આવી હતી. જેમ કે, નુડલ્‍સ, ભાજીપાવ, ઈડલી, મેદુવડા, કોર્નચાટ, ચાઈનીસ સમોસા, ફ્રાઈડરાઈસ, ખમણ, રગડા, પાણીપુરી જેવી વિવિધ ફૂડ સ્‍ટોલ તેમજ રમત-ગમત માટે ટાયર રેસ, ક્રિકેટ, ફૂટબોલ, બોલરેસ, હોપસ્‍કોચ, રીંગ સાથે અવરોધો, માંગ પર ગીત, થ્રો એન્‍ડ વીમ, અને ટેટૂ બૂથ સ્‍ટોલ લગાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આનંદ મેળામાં મ્‍યુઝિક અને ડાન્‍સ સાથે ભરપૂર આનંદ માણ્‍યો હતો. શાળાના આચાર્યશ્રી અનુપમ ઉપાધ્‍યાયે વિદ્યાર્થીઓને ‘બાળદિન’ની શુભેચ્‍છા પાઠવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાનાઆચાર્યશ્રી અનુપમ ઉપાધ્‍યાયના નેજા હેઠળ કરવામાં આવ્‍યું હતું.

Related posts

પારડીમાં બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્‍મજયંતિ ઉજવણીની કરાશે

vartmanpravah

તુંબ ગ્રામ પંચાયતનું બજેટ ત્રીજી વાર નામંજુર

vartmanpravah

દીવ વણાંકબારાની છોકરીને ડોળાસાનો મુસ્‍લિમ છોકરો ભગાડી જતા વણાંકબાર સંયુક્‍ત કોળી સમાજ દ્વારા દીવ એસ.પી.ને આવેદનપત્ર અપાયું

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વાપીમાં ૨ દિવસીય યોગ શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહના રખોલીમાં ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત મહેસૂલ શિબિર યોજાશે

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તાર ગટરના ઢાંકણા ગાયબ તો કેટલાક જામ : કરોડોના ખર્ચે બનેલ ગટરના ખસ્‍તાહાલ

vartmanpravah

Leave a Comment