(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ માર્ગદર્શન અને સફળ નેતળત્વમાં અને જિલ્લા પંચાયત સીઈઓ શ્રી અપૂર્વ શર્માના નિર્દેશનમાં ગ્રામીણ ક્ષેત્રમાં વ્યવસાયિક પ્રતિષ્ઠાનોમાં બે વખત કચરો ઉઠાવવાની પ્રક્રિયા શરૂ કરવામા આવી છે.
જિલ્લા પંચાયતના વિસ્તાર એટલે કે દાદરા, નરોલી ખરડપાડા, સામરવરણી અને મસાટ ગામમાં વાણિજ્યક પ્રતિષ્ઠાનોમાંથી સાંજે પણ સમય અને રૂટ પ્લાન મુજબ કચરો ઉઠાવવામાં આવશે. કચરો ઉઠાવવાની પહેલ માટે ગ્રામ પંચાયતના ગ્રામીણો પણ ઘણા ખુશ થઈ કેન્દ્રસાશિત પ્રદેશ પ્રશાસનનો આભાર માન્યો હતો.