Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ-નરોલી રોડ પર એક ચાલીના રુમમાં આગ લાગતા મચેલી દોડધામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીના સેલવાસ-નરોલી રોડ નજીક માઈક્રો ટાવરની પાછળ આવેલ એક ચાલીના રૂમમાં કોઈક કારણોસર આગ લાગી હતી. આગના કારણે લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગના કારણેરૂમમાં રાખેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસ-નરોલી રોડ પર માઈક્રો ટાવરની પાછળ આવેલ દિલીપભાઈની ચાલમાં રહેતા માધુભાઈના રૂમમાં સવારના સમયે તેઓ અને એમની પત્‍ની નોકરી પર નીકળી ગયા હતા અને એમના બાળકો પણ શાળાએ જવા નીકળી ગયા હતા. સવારે દસ વાગ્‍યાના સુમારે એમના રૂમમાંથી અચાનક ધુમાડો નીકળતા આજુબાજુના રહેવાસીઓએ જોતાં તેઓમાં ગભરાટ ફેલાયો હતો. તાત્‍કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરા લાશ્‍કરોની ટીમ ઘટના સ્‍થળે આવી પહોંચી હતી. સાથે પોલીસની ટીમ પણ પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી લગભગ એક-દોઢ કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવા સફળતા મળી હતી.
રૂમમાં રાખેલ ઘરવખરી સહિત પલંગ, ગાદલાં, કબાટ, ઘરેણાં વગેરે કિંમતી સામાન પણ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગના અધિકારીના જણાવ્‍યા પ્રમાણે ઘરમાં સવારે કરવામાં આવેલ દીવા-અગરબત્તીના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું હતું. ઘટનામાં કોઈપણ જાનહાની કે ઈજાની ઘટના બનવા પામેલ નથી. વધુ તપાસ પોલીસ કરી રહી છે.

Related posts

વાપી બલીઠા પાસે માલગાડી સામે અજાણ્‍યા યુવાને પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

કપરાડા નાનાપોંઢામાં ડુપ્‍લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું : વલસાડ એસ.ઓ.જી.નું સફળ ઓપરેશન

vartmanpravah

દમણવાડા સ્‍કૂલમાં આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

વલસાડના પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં પોલીસની દેવદૂતની ભૂમિકાઃ સેંકડો લોકોનું સ્‍થળાંતર કરાવ્‍યું

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

ચીખલીના તલાવચોરમાં તળાવમાંથી મળેલ યુવતિની લાશના બનાવમાં પોલીસે સાતેક જેટલાના નિવેદન લઈ તપાસ હાથ ધરી

vartmanpravah

Leave a Comment