August 31, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદાર યાદી સુધારણા શરૂ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
ભારતના ચૂંટણીપંચ નવી દિલ્લીના આદેશાનુસાર ચૂંટણી વિભાગ સેલવાસ દ્વારા મતદાતા સૂચિનો ડ્રાફ્‌ટ 05મી જાન્‍યુઆરીના રોજ પ્રકાશિત કરવામા આવ્‍યો છે. જેમા કોઈપણ પ્રકારની આપત્તિ હોય અથવા જે મતદાતાઓની ઉંમર 01/01/2022ના રોજ 18વર્ષ પૂર્ણ થતી હોય કે તેથી વધુ હોય તેવા તમામ મતદાતાઓએ તેમના નામ મતદાર યાદીમા નોંધાવવા માટે અથવા મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે અથવા મતદાર યાદીમા નોંધાયેલ નામમા સુધારો કરાવવા માટે અથવા સરનામામાં ફેરફાર કરાવવા માટે 09 નવેમ્‍બરથી 30 નવેમ્‍બર સુધી ઓનલાઇન અથવા ઓફલાઈન અરજી કરી શકશે.
રાષ્‍ટ્રીય મતદાતા પોર્ટલ એનવીએસપી પર જવુ. મતદાતાઓએ પોતાનું નામ મતદાતા સૂચિ સુનિヘતિ કરવા માટે વેબસાઈટ પર જઈ ઇલેક્‍ટ્રોલ રોલ લીંક ક્‍લિક કરી પોતાનો વોટર આઈડી નંબર દાખલ કરવો. પોતાના નામની વિગત નહિ મળતા તેમણે ચૂંટણી વિભાગ, પર્યટન ભવન સેલવાસ કાર્યાલયનો સંપર્ક કરવો. આ બધી સુવિધાઓ દાદરા નગર હવેલીના તમામ સરળ સેવાકેન્‍દ્રો ઉપર પણ ઉપલબ્‍ધ છે.

Related posts

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજ દ્વારા બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે કેરિયર ગાઈડન્‍સ સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડમાં રવિવારે સ્‍મશાન ભૂમિમાં 4 હજાર વૃક્ષો રોપાશે, 3 વર્ષ સુધી જતન પણ કરાશે

vartmanpravah

સેલવાસ દત્તકગ્રહણ સંસ્‍થા ખાતે કલેક્‍ટરના હસ્‍તે બાળકને દત્તક આપવાની પૂર્ણ થયેલી વિધિ

vartmanpravah

ચીખલી સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના ખાતેદારનું અકસ્‍માતમાં મોત નિપજતા બેંક દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત પરિવારને બે લાખ રૂપિયાનો ચેક એનાયત કરાયો

vartmanpravah

પ્રધાનમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના આગમન બાદ દમણ-દીવ અને દાનહને દુનિયામાં મળેલી નવી ઓળખઃ સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

પારડી બાર એસોસિએશન દ્વારા વકીલ મંડળોની રચના

vartmanpravah

Leave a Comment