(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
ભારતના ચૂંટણીપંચ નવી દિલ્લીના આદેશાનુસાર ચૂંટણી વિભાગ સેલવાસ દ્વારા મતદાતા સૂચિનો ડ્રાફ્ટ 05મી જાન્યુઆરીના રોજ પ્રકાશિત કરવામા આવ્યો છે. જેમા કોઈપણ પ્રકારની આપત્તિ હોય અથવા જે મતદાતાઓની ઉંમર 01/01/2022ના રોજ 18વર્ષ પૂર્ણ થતી હોય કે તેથી વધુ હોય તેવા તમામ મતદાતાઓએ તેમના નામ મતદાર યાદીમા નોંધાવવા માટે અથવા મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે અથવા મતદાર યાદીમા નોંધાયેલ નામમા સુધારો કરાવવા માટે અથવા સરનામામાં ફેરફાર કરાવવા માટે 09 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ઓનલાઇન અથવા ઓફલાઈન અરજી કરી શકશે.
રાષ્ટ્રીય મતદાતા પોર્ટલ એનવીએસપી પર જવુ. મતદાતાઓએ પોતાનું નામ મતદાતા સૂચિ સુનિヘતિ કરવા માટે વેબસાઈટ પર જઈ ઇલેક્ટ્રોલ રોલ લીંક ક્લિક કરી પોતાનો વોટર આઈડી નંબર દાખલ કરવો. પોતાના નામની વિગત નહિ મળતા તેમણે ચૂંટણી વિભાગ, પર્યટન ભવન સેલવાસ કાર્યાલયનો સંપર્ક કરવો. આ બધી સુવિધાઓ દાદરા નગર હવેલીના તમામ સરળ સેવાકેન્દ્રો ઉપર પણ ઉપલબ્ધ છે.