March 3, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદાર યાદી સુધારણા શરૂ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
ભારતના ચૂંટણીપંચ નવી દિલ્લીના આદેશાનુસાર ચૂંટણી વિભાગ સેલવાસ દ્વારા મતદાતા સૂચિનો ડ્રાફ્‌ટ 05મી જાન્‍યુઆરીના રોજ પ્રકાશિત કરવામા આવ્‍યો છે. જેમા કોઈપણ પ્રકારની આપત્તિ હોય અથવા જે મતદાતાઓની ઉંમર 01/01/2022ના રોજ 18વર્ષ પૂર્ણ થતી હોય કે તેથી વધુ હોય તેવા તમામ મતદાતાઓએ તેમના નામ મતદાર યાદીમા નોંધાવવા માટે અથવા મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે અથવા મતદાર યાદીમા નોંધાયેલ નામમા સુધારો કરાવવા માટે અથવા સરનામામાં ફેરફાર કરાવવા માટે 09 નવેમ્‍બરથી 30 નવેમ્‍બર સુધી ઓનલાઇન અથવા ઓફલાઈન અરજી કરી શકશે.
રાષ્‍ટ્રીય મતદાતા પોર્ટલ એનવીએસપી પર જવુ. મતદાતાઓએ પોતાનું નામ મતદાતા સૂચિ સુનિヘતિ કરવા માટે વેબસાઈટ પર જઈ ઇલેક્‍ટ્રોલ રોલ લીંક ક્‍લિક કરી પોતાનો વોટર આઈડી નંબર દાખલ કરવો. પોતાના નામની વિગત નહિ મળતા તેમણે ચૂંટણી વિભાગ, પર્યટન ભવન સેલવાસ કાર્યાલયનો સંપર્ક કરવો. આ બધી સુવિધાઓ દાદરા નગર હવેલીના તમામ સરળ સેવાકેન્‍દ્રો ઉપર પણ ઉપલબ્‍ધ છે.

Related posts

વાપી નોટિફાઈડ વિસ્‍તારમાં વરસાદી પાણીની સમસ્‍યાનો અંત લાવવા બદલ નાગરિકોએ મંત્રી કનુભાઈ દેસાઈનું સન્‍માન કયું

vartmanpravah

દમણમાં જિલ્લા સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

વાપીમાં શ્રી સમસ્ત ગુજરાતી બ્રહમસમાજના સ્નેહ મિલનમાં ભુદેવો ઉમટયા,અનેક કૃતિઓ રજુ થઇ

vartmanpravah

પ્રધાનમંત્રીએ એ.એસ. નવસારીમાં નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે લોક કલ્‍યાણ અને લોકોની સમસ્‍યાના નિરાકરણ માટે અંગત રસ લેતાં કામ કરવાની પોતાની આગવી શૈલીના કરાવેલા દર્શન

vartmanpravah

દાનહની નમો મેડિકલ કોલેજ માટે ડીન સહિત પ્રોફેસરો માટેની ઓર ર1 પોસ્‍ટોને ભારત સરકારે આપેલી મંજૂરી

vartmanpravah

Leave a Comment