(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી: આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ હાથ ધરવામાં આવેલ છે.આ સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા-૫૦૦૦/- દ્વિતીય ક્રમે વિજેતાને રૂ.૩૦૦૦/- અને તૃતીયક્રમે વિજેતા થનારને રૂ.૨૦૦૦/- પુરસ્કાર મળવાપાત્ર છે.
જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,સી બ્લોક,બીજા માળે ,જિલ્લા સેવા સદન,જુનાથાણા ,નવસારી ખાતે તા:૧૧/૦૧/૨૦૨૨ સુધીમાં આધારકાર્ડ આપી નોંધણી કરાવવાની રહેશે અથવા dydonavsari28@gmail.com ઇમેલ એડ્રેસ પર પુરૂનામ આધારકાર્ડ ઉપર “નવસારી જિલ્લાકક્ષા રંગોળી સ્પર્ધા ૨૦૨૧-૨૨”લખી PDF ફાઇલ મોકલી આપવાની રહેશે.
જે અન્વયે નવસારી-વિજલપોર નગરપાલિકાની જિલ્લાકક્ષા સ્પર્ધાનું આયોજન તા:૧૨/૦૧/૨૦૨૨ના રોજ કરવામાં આવેલ છે.ભાગ લેવા ઉત્સુક સ્પર્ધકોએ તા:૧૨/૦૧/૨૦૨૨ ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે સરદાર પટેલ વિદ્યાભવન જલાલપોર ખાતે આધારકાર્ડની નકલ અને પોતાની સાધનસામગ્રી સાથે ઉપસ્થિત થવાનું રહેશે.
આ રંગોળી સ્પર્ધાનો મુખ્ય વિષય સ્વતંત્રતા આંદોલન હશે જેમાં સ્વતંત્રતા સંગ્રામના શહીદો અને તેને લગતા પ્રસંગોની રંગોળી બનાવવાની રહેશે.રંગોળી બનાવવા માટેની તમામ સામગ્રી સ્પર્ધકે લાવવાની રહેશે.રંગોળી સ્પર્ધામાં પેન્સિલ/ચોકનો ઉપયોગ થઇ શકશે નહિ.તમામ સ્પર્ધકને ૪*૪ ફુટની જ્ગ્યા રંગોળી બનાવવા માટે આપવામાં આવશે અને આ રંગોળી સ્પર્ધકે ૧૫૦ મિનિટ(અઢી કલાક)માં પૂર્ણ કરવાની રહેશે.