October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

અબોલ જીવને બચાવવા જિલ્લાના સામાજીક વનીકરણ વિભાગ, પશુપાલન વિભાગ ,સ્વૈછિક સંસ્થાઓ દ્વારા કરૂણા અભિયાન હાથ ધરાશે.

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી: આગામી ઉતરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અબોલ પક્ષીઓ ઘાયલ થવાના બનાવ અટ્કે તેમજ ઘાયલ પક્ષીઓની ત્વરીત સારવાર કરી સ્વસ્થ પક્ષીઓનો જીવ બચાવી પુન:મુક્ત કરી શકાય તે અર્થે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી તા.૧૦/૦૧/૨૦૨૨ થી તા.૨૦/૦૧/૨૦૨૨ દરમિયાન કરૂણા અભિયાન-૨૦૨૨નું આયોજન કરવાની સુચના ભાગરૂપે નવસારી જિલ્લામાં સામાજીક વનીકરણ વિભાગ,પશુપાલન વિભાગ,સ્વૈછિક સંસ્થાઓ દ્રારા પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ થવાના બનાવ અટકે તેમજ ઘાયલ પક્ષીઓની ત્વરીત સારવાર અર્થે જિલ્લા તથા તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ,ઓનલાઇન લિંક લોકેશન સહીતની વિગતના હેલ્પલાઇન સેન્ટર,રેશ્ક્યુટીમ,પશુ દવાખાનાની વિગતો સહીત આયોજન કરવામાં આવેલ છે.જેથી ઉતરાયણ પર્વ દરમિયાન અબોલ પક્ષીઓના જીવનું રક્ષણ કરી શકાય. જિલ્લા કંટ્રોલરૂમ વન વિભાગ-(૦૨૬૩૭)૨૫૯૮૨૩  અને ગુજરાત વન વિભાગનું કરૂણા અભિયાનમાં ૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૨ સુધી કાર્યરત હેલ્પલાઇનનો માટે નીચે આપેલ લિંક કિલક કરવા વિનંતી છે. https://bit.ly/karunaabhiyan   તથા https://youtu.be/StQZemGyzvc

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિનો સંઘપ્રદેશમાં પણ પડેલો પડઘો

vartmanpravah

ચીખલી – ગણદેવી – ખેરગામ તાલુકામાં મેઘરાજાનું જોર વધ્‍યું લોકમાતાઓ બંન્ને કાંઠે વહેતી થઈ

vartmanpravah

નવસારીના લુન્‍સીકુઈ ગ્રાઉન્‍ડ ખાતેથી 125 નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્‍યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

જોધપુર-બાન્‍દ્રા સૂર્યનગરી સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેન દુર્ઘટના : રાજસ્‍થાન જવા નીકળેલ દાનહ સ્‍કાઉટ ગાઈડની ટીમ સહી સલામત

vartmanpravah

દાનહ સીંદોની પંચાયત ખાતે ગ્રામજનો માટે અવર્નેશ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

રિક્ષામાં દારૂ લઈ જતા ચાલક અને મહિલા કલસર બે માઈલ નજીક ઝડપાયા

vartmanpravah

Leave a Comment