Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

અબોલ જીવને બચાવવા જિલ્લાના સામાજીક વનીકરણ વિભાગ, પશુપાલન વિભાગ ,સ્વૈછિક સંસ્થાઓ દ્વારા કરૂણા અભિયાન હાથ ધરાશે.

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી: આગામી ઉતરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અબોલ પક્ષીઓ ઘાયલ થવાના બનાવ અટ્કે તેમજ ઘાયલ પક્ષીઓની ત્વરીત સારવાર કરી સ્વસ્થ પક્ષીઓનો જીવ બચાવી પુન:મુક્ત કરી શકાય તે અર્થે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી તા.૧૦/૦૧/૨૦૨૨ થી તા.૨૦/૦૧/૨૦૨૨ દરમિયાન કરૂણા અભિયાન-૨૦૨૨નું આયોજન કરવાની સુચના ભાગરૂપે નવસારી જિલ્લામાં સામાજીક વનીકરણ વિભાગ,પશુપાલન વિભાગ,સ્વૈછિક સંસ્થાઓ દ્રારા પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ થવાના બનાવ અટકે તેમજ ઘાયલ પક્ષીઓની ત્વરીત સારવાર અર્થે જિલ્લા તથા તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ,ઓનલાઇન લિંક લોકેશન સહીતની વિગતના હેલ્પલાઇન સેન્ટર,રેશ્ક્યુટીમ,પશુ દવાખાનાની વિગતો સહીત આયોજન કરવામાં આવેલ છે.જેથી ઉતરાયણ પર્વ દરમિયાન અબોલ પક્ષીઓના જીવનું રક્ષણ કરી શકાય. જિલ્લા કંટ્રોલરૂમ વન વિભાગ-(૦૨૬૩૭)૨૫૯૮૨૩  અને ગુજરાત વન વિભાગનું કરૂણા અભિયાનમાં ૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૨ સુધી કાર્યરત હેલ્પલાઇનનો માટે નીચે આપેલ લિંક કિલક કરવા વિનંતી છે. https://bit.ly/karunaabhiyan   તથા https://youtu.be/StQZemGyzvc

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં રખોલી ગ્રામ પંચાયત દ્વારા યોજાયો સ્‍વચ્‍છતા અભિયાન

vartmanpravah

ભંગારની આડમાં રીક્ષા ટેમ્‍પોમાં દારૂ લઈ જતા બે ખેપિયા પારડી ચાર રસ્‍તા નજીકથી ઝડપાયા

vartmanpravah

દીવના પર્યટન સ્‍થળ તરીકે પ્રખ્‍યાત નાગવા બીચ ખાતે આવેલ ફુડ સ્‍ટોલની હરાજી

vartmanpravah

દાદરા ગામે જૈન દેરાસરના 51મા ધ્‍વજારોહણ નિમિત્તે પાંચ દિવસીય અતિ ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah

રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા પ્રથમવાર એવોર્ડ અપાશે, તા.08 માર્ચ સુધીમાં પુરાવા સાથે અરજી કરવી

vartmanpravah

વલસાડ રેલવે પ્‍લેટફોર્મ ઉપર ચાલું ટ્રેનમાં ચઢવા જતા મુસાફરનું ટ્રેન-પ્‍લેટફોર્મ પટકાતા મોત

vartmanpravah

Leave a Comment