Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં પાંચમા દિવસે ૩૫૮૧ વિદ્યાર્થીઓનું વેક્સિનેશન કરાયું

પાંચ દિવસમાં ૫૫૯૭૭ વેક્સિનેશન સાથે ૬૯ ટકા કામગીરી પૂર્ણ 

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડઃ તા.૦૭

સમગ્ર રાષ્‍ટ્રમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોના ધરાયેલા વેક્સિનેશન અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાની માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કોલેજ, આઈ.ટી.આઈ અને અન્‍ય શૈક્ષણિક સંસ્‍થાઓમાં પાંચમા દિવસે ૧૩૬ શૈક્ષણિક સંસ્‍થાઓમાં રસીકરણ કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં આજે તા.૭/૧/૨૨ના રોજ સાંજના ૪-૦૦ વાગ્‍યા સુધીમાં ૩૫૮૧ વિદ્યાર્થીઓનું વેક્સિનેશન કરાયું હતું. જેમાં વલસાડ તાલુકાની ૧૧ શાળાઓના ૫૪૨, પારડી તાલુકાની ૧૨ શાળાઓના ૩૨૪, વાપી તાલુકાની ૨૬ શાળાઓના ૧૧૯૮, ઉમરગામ તાલુકાની ૧૪ શાળાઓના ૮૯૮, ધરમપુર તાલુકાની ૨૧ શાળાઓના ૩૯૬ અને કપરાડા તાલુકાની ૫૨ શાળાઓના ૨૨૩ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

વલસાડ તાલુકામાં પાત્રતા ધરાવતા ૧૯૫૩૬ના લક્ષ્યાંક સામે ૧૬૧૪૨, પારડીમાં ૧૨૩૩૭ના લક્ષ્યાંક સામે ૬૮૦૨, વાપીમાં ૧૫૮૭૪ના લક્ષ્યાંક સામે ૧૪૩૫૮, ઉમરગામ તાલુકામાં ૧૩૯૫૯ના લક્ષ્યાંક સામે ૯૪૯૦, ધરમપુરમાં ૯૮૦૩ના લક્ષ્યાંક સામે ૫૫૪૩ અને કપરાડા તાલુકામાં ૯૮૮૮ના લક્ષ્યાંક સામે ૩૬૪૨નું રસીકરણ પૂર્ણ કરાયું છે. આમ આજદિન સુધી જિલ્લામાં પાત્રતા ધરાવતા ૮૧૩૯૭ લાભાર્થીઓ પૈકી કુલ ૫૫૯૭૭ વિદ્યાર્થીઓનું વેકસીનેશન કરી ૬૯ ટકા સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં વાપી તાલુકો ૯૦ ટકા કામગીરી સાથે મોખરે રહયો છે.

આ કામગીરીમાં પદાધિકારીઓ, આરોગ્‍ય વિભાગના અધિકારી/ કર્મચારીઓ, શિક્ષણ વિભાગ, આઇ.સી.ડી.એસ. વિભાગના કર્મીઓ, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ખાનગી હોસ્‍પિટલ વગેરેનો સહયોગ પ્રાપ્‍ત થયો હતો.

કોરોના મુક્‍ત શાળા અને કોરોના મુક્‍ત રાષ્‍ટ્ર બનાવવામાં આપણે સૌ સહભાગી બનીએ અને સરકારને વેક્સિનેશનમાં સહકાર આપીએ એવી અપેક્ષા સાથે રસીકરણનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેનું યોગ્‍ય પાલન થાય એ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related posts

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “Lifesaver CPR and Personal Health Record Management Workshop” વિષય ઉપર વ્‍યાખ્‍યાન અને વર્કશોપ યોજાયો

vartmanpravah

vartmanpravah

વાપી-ઉદવાડા સ્‍ટેશન વચ્‍ચે તા.17-18-19 અને 25 ઓક્‍ટોબરે બ્‍લોક : અમુક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞને વિરામ અપાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ જિલ્લાના કૃષિ સમ્‍માન નિધિ યોજનાના લાભાર્થીઓએ પોતાના બેંક ખાતાને આધાર સાથે લીંક અને eKYC કરાવવા જરૂરી

vartmanpravah

ઉમરગામના દરિયા કિનારે ગણેશ ભક્‍તોની લાપરવાહીના કારણે ગણપતિની ખંડિત પ્રતિમાઓના અપમાનિત દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

Leave a Comment