સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દાનહની મુલાકાત બાદ ગ્રામ્ય વિસ્તારોના રાજકીય પ્રતિનિધિઓમાં પણ થઈ રહેલા વિકાસ કામોથી પેદા થયેલો જોમ અને જુસ્સો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે મોડી સાંજે નરોલીની લીધેલી મુલાકાત દરમિયાન નરોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં ભાજપ અને શિવસેના સહિતના રાજકીય પ્રતિનિધિઓએ પ્રશાસકશ્રીનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની નરોલી મુલાકાતથીપ્રજામાં પણ એક નવો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. નરોલી સહિત દાનહના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાજપ, શિવસેના, કોંગ્રેસ સહિતના વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ એક મંચ ઉપર આવતાં નજરે પડયા હતા અને પ્રદેશના વિકાસ માટે ભારત સરકાર દ્વારા થઈ રહેલા કામોની પણ સરાહના કરી હતી.
નરોલી ખાતે સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ, નરોલી પંચાયતના ભાજપના નેતા શ્રી યોગેશસિંહ સોલંકી, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી વંદનાબેન પટેલ, ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી પિયુષસિંહ ગોહિલ સહિત ભાજપ-શિવસેનાના પ્રતિનિધિઓ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સત્કાર માટે ઉપસ્થિત રહ્યા હતા.