(
વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : દમણ અને દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલે કચીગામ ખાતે આવેલ પ્રસિદ્ધ કંઠેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘાયુ અને નિરોગી જીવનની કામના કરી હતી. તેમણે ગાયોને પણ ચારો ખવડાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઔર વધુ ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી.