(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10
સેલવાસના પ્રમુખ ગાર્ડન સોસાયટી ખાતે રહેતા ચેતશ પંડયાને ત્યાં પોષ મહિનાની નવરાત્રીના નવ ઘટના સ્થાપન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે અષ્ટમીનો હવન કરવામાં આવ્યો હતો જેનો લાભ અનેક લોકોએ લીધો હતો. કોવિડ નિયમોને ધ્યાનમાં રાખી હવન કાર્યક્રમ ટૂંકમા જ સંપન્ન કરવામાં આવ્યો હતો.
સનાતન ધર્મમાં વર્ષમાં ચાર નવરાત્રીનો ઉલ્લેખ કરાયો છે. પ્રથમ પોષ મહિનાની સાથે ચૈત્ર, અષાઢ અને આસો મહિનામાં માતૃકા સ્થાપન કરવું શુભ ગણવામાં આવે છે. સોસાયટીમાં યોજાયેલ આઠમના હવનમાં કોવિડ-19ના નીતિ-નિયમો અનુસાર ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
Previous post