April 29, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા મિલકતધારકોને જરૂરી ઓક્‍યુપેન્‍સી સર્ટીફિકેટ આપવા ખાસ શિબિરનું કરેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : સેલવાસ નગર પાલિકા દ્વારા સ્‍થાવર મિલ્‍કત માટેજરૂરી ઓક્‍યુપેન્‍સી સર્ટીફિકેટ માટે તા.07 અને 08 નવેમ્‍બરના રોજ સેલવાસ નગરપાલિકા કચેરી ખાતે એક શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સંદર્ભે ન.પા. ચીફ ઓફિસર શ્રી સંગ્રામ શિંદેએ જણાવ્‍યું છે કે, નગરપાલિકા વિસ્‍તારમાં ઘણા લોકોના ઓક્‍યુપેન્‍સી સર્ટીફિકેટ મેળવવા માટેની અરજીઓ પેન્‍ડિંગ છે. તેઓની અરજીનો હજુ સુધી કોઈને કોઈ કારણસર નિકાલ નહીં આવ્‍યો હોય એવી તમામ અરજીઓનો આ શિબિરમાં નિકાલ કરવામાં આવનાર છે. નગરપાલિકા દ્વારા આ સેવા માટે કોઈપણ પ્રકારનો કર લેવામાં આવતો નથી, જો કર લેવામાં આવે છે તો તેની પાકી રસીદ ન.પા. દ્વારા આપવામાં આવે છે અને જો વચેટિયાઓ દ્વારા ઓ.સી. કઢાવી આપવા માટે પૈસાની માંગણી કરવામાં આવે તો આવા લોકો પર પ્રશાસનની નજર છે અને તેમના પર કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષથી બિલ્‍ડરો અને સામાન્‍ય નાગરિકોને ઓ.સી. મેળવવા માટે ઘણી જ તકલીફો પડતી હતી. હવે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જે સરાહનીય પગલું ભરવામાં આવી રહ્યું છે એ ધન્‍યવાદને પાત્ર છે.

Related posts

સરીગામની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીના કર્મચારી મુબિન શેખનું દુઃખદ અવસાન

vartmanpravah

પારડી પીઆઈ બી.જે. સરવૈયાનો સપાટો: પરીયામાં જુગાર રમતા 11 જેટલા મોભીઓને ઝડપી કર્યા જેલના હવાલે

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં વીજ ટ્રાન્‍સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

વિજયાદશમીના પર્વને અનુલક્ષી નરોલીમાં આર.એસ.એસ. દ્વારા કરાયેલું પથ સંચલન

vartmanpravah

વલસાડમાં રવિવારી બજારો બંધ કરાવવા જતાં નાના વેપારીઓ અને પાલિકા એક્રોચમેન્‍ટ સ્‍ટાફ સાથે ઘર્ષણ

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસ નિમિત્તે દમણના વોર્ડ નં.6માં પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરી ‘સુશાસન દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment