October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દાનહ અને દમણ-દીવ- શાળાઓમાં બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા 100 દિવસ વાંચન અભિયાન વર્ગ વ્‍યવસ્‍થા ગોઠવણીનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
શિક્ષણ વિભાગનાં આદેશ મુજબ દાદરા નગર હવેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જયેશભાઈ ભંડારીનાં માર્ગદર્શન મુજબ પ્રદેશની શાળાઓમાં બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા હેતુને ધ્‍યાનમાં રાખીને 100 દિવસ વાંચન અભિયાન (100 ડેયઝ ઓફરીડીંગ કમ્‍પેઈન) વર્ગ વ્‍યવસ્‍થા ગોઠવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સૌપ્રથમ પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.
હાલમાં શિક્ષણ મંત્રાલય ભારત સરકાર, નવી દિલ્‍હીનાં સોશિયલ મિડિયા પર પોસ્‍ટ કરવામાં આવેલ મુખપળષ્ઠ ઉપર પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા અથોલાનાં શિક્ષિકા બહેન શ્રીમતી અનિતાબેન ડી. રોહિત દ્વારા તૈયાર કરેલ વર્ગ દર્શાવવામાં આવ્‍યો છે. શાળાનાં આચાર્ય તથા સૌ શિક્ષકોને ગ્રામજનો અને પ્રદેશવાસીઓ તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે. હાલમાં કોવિડ ગાઈડલાઈન મુજબ ધોરણ 1 થી 8ની તમામ શાળાઓ બંધ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્‍યાસ કરતાં સૌ બાળકો શિક્ષણથી વંચિત નહી રહે તે માટે શિક્ષકો દ્વારા ઓનલાઈન તથા હોમબેજ શિક્ષણ શરૂ કરી શકાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા આયોજનનાં ભાગરૂપે પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે.

Related posts

દાનહ અને દમણ-દીવની લોકસભા ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ગરબડ દેખાય કે મતદારોને પ્રભાવિત કરવાની ચેષ્‍ટા થાય તો સી-વિજીલ એપ ઉપર ફરિયાદ કરી પોતાની નિષ્‍પક્ષ ફરજ બજાવવા ચૂંટણી પંચનું આહ્‌વાન

vartmanpravah

વાપી ખાતે જિલ્લા કક્ષાનો ૭૪ મો વન મહોત્સવ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો

vartmanpravah

દાનહ પોલીસે સંપૂર્ણ સ્‍ટાફને કોમ્‍પ્‍યુટર સાક્ષર કરી સિદ્ધિ હાંસિલ કરી

vartmanpravah

ધરમપુરના બિલપુડી ગામે દુકાનોમાં જનતા રેડઃ અનેક દુકાનોમાં ઍક્સપાઈરી ડેટના ખાદ્ય પદાર્થો મળ્યા

vartmanpravah

વલસાડમાં ઔરંગા નદીમાં ગણેશજીની વિસર્જીત મૂર્તિઓ દુર્દશાગ્રસ્‍ત : માટીનીમૂર્તિના અભાવે ઉભી થયેલી સ્‍થિતિ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ખાડામાં પટકાયેલ આર્મી અધિકારીઓની કાર સાથે ડમ્‍પર ભટકાતા અકસ્‍માત

vartmanpravah

Leave a Comment