April 2, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દાનહ અને દમણ-દીવ- શાળાઓમાં બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા 100 દિવસ વાંચન અભિયાન વર્ગ વ્‍યવસ્‍થા ગોઠવણીનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
શિક્ષણ વિભાગનાં આદેશ મુજબ દાદરા નગર હવેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જયેશભાઈ ભંડારીનાં માર્ગદર્શન મુજબ પ્રદેશની શાળાઓમાં બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા હેતુને ધ્‍યાનમાં રાખીને 100 દિવસ વાંચન અભિયાન (100 ડેયઝ ઓફરીડીંગ કમ્‍પેઈન) વર્ગ વ્‍યવસ્‍થા ગોઠવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સૌપ્રથમ પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.
હાલમાં શિક્ષણ મંત્રાલય ભારત સરકાર, નવી દિલ્‍હીનાં સોશિયલ મિડિયા પર પોસ્‍ટ કરવામાં આવેલ મુખપળષ્ઠ ઉપર પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા અથોલાનાં શિક્ષિકા બહેન શ્રીમતી અનિતાબેન ડી. રોહિત દ્વારા તૈયાર કરેલ વર્ગ દર્શાવવામાં આવ્‍યો છે. શાળાનાં આચાર્ય તથા સૌ શિક્ષકોને ગ્રામજનો અને પ્રદેશવાસીઓ તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે. હાલમાં કોવિડ ગાઈડલાઈન મુજબ ધોરણ 1 થી 8ની તમામ શાળાઓ બંધ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્‍યાસ કરતાં સૌ બાળકો શિક્ષણથી વંચિત નહી રહે તે માટે શિક્ષકો દ્વારા ઓનલાઈન તથા હોમબેજ શિક્ષણ શરૂ કરી શકાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા આયોજનનાં ભાગરૂપે પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે.

Related posts

પારડી ડીસીઓ સ્‍કૂલ નજીક લાયસન્‍સ વિના તેમજ ટ્રીપલ સવારી કરતાં વિદ્યાર્થીઓ પર લાલ આંખ કરતી પોલીસ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના સહયોગથી એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા આકાશ દર્શનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીઃ વિકાસ આનંદ નવા પ્રશાસકશ્રીના સલાહકાર બનશે

vartmanpravah

રાનકુવામાં ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્‍થાનિકોમાં ગભરાહત

vartmanpravah

વલસાડ અને ધરમપુરમાં કિસાન દિવસ અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ : 233 ખેડૂતોએ લાભ લીધો

vartmanpravah

સરીગામ સીઇટીપીની નાજુક સ્‍થિતિ

vartmanpravah

Leave a Comment