Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દાનહ અને દમણ-દીવ- શાળાઓમાં બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા 100 દિવસ વાંચન અભિયાન વર્ગ વ્‍યવસ્‍થા ગોઠવણીનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
શિક્ષણ વિભાગનાં આદેશ મુજબ દાદરા નગર હવેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જયેશભાઈ ભંડારીનાં માર્ગદર્શન મુજબ પ્રદેશની શાળાઓમાં બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા હેતુને ધ્‍યાનમાં રાખીને 100 દિવસ વાંચન અભિયાન (100 ડેયઝ ઓફરીડીંગ કમ્‍પેઈન) વર્ગ વ્‍યવસ્‍થા ગોઠવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સૌપ્રથમ પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.
હાલમાં શિક્ષણ મંત્રાલય ભારત સરકાર, નવી દિલ્‍હીનાં સોશિયલ મિડિયા પર પોસ્‍ટ કરવામાં આવેલ મુખપળષ્ઠ ઉપર પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા અથોલાનાં શિક્ષિકા બહેન શ્રીમતી અનિતાબેન ડી. રોહિત દ્વારા તૈયાર કરેલ વર્ગ દર્શાવવામાં આવ્‍યો છે. શાળાનાં આચાર્ય તથા સૌ શિક્ષકોને ગ્રામજનો અને પ્રદેશવાસીઓ તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે. હાલમાં કોવિડ ગાઈડલાઈન મુજબ ધોરણ 1 થી 8ની તમામ શાળાઓ બંધ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્‍યાસ કરતાં સૌ બાળકો શિક્ષણથી વંચિત નહી રહે તે માટે શિક્ષકો દ્વારા ઓનલાઈન તથા હોમબેજ શિક્ષણ શરૂ કરી શકાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા આયોજનનાં ભાગરૂપે પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે.

Related posts

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપીના દિવાળી સ્‍નેહ મિલનમાં ભૂદેવો ઉમટયા

vartmanpravah

મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં સબકી યોજના સબકા વિકાસ જીપીડીપી પ્‍લાનને મળેલી મંજુરી

vartmanpravah

વલસાડના સરકારી ટેક્‍નીકલ સેન્‍ટરમાં વર્ષ 2022-23 માટે પ્રવેશકાર્ય શરૂ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહમાં આયોજીત ત્રિ-દિવસીય ગર્ભાશય અને સ્‍તનના કેન્‍સરની નિઃશુલ્‍ક તપાસનો 293 મહિલાઓએ લીધેલો લાભ

vartmanpravah

દાનહઃ એક ખાનગી શાળાની સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મ મામલે સાંસદ કલાબેન ડેલકરના પ્રતિનિધિ મંડળે એસ.પી.ને પાઠવેલું આવેદનપત્ર

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો વિદ્યાર્થી બન્‍યો ટીવી શ્રેણીમાં નારદ

vartmanpravah

Leave a Comment