June 29, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દાનહ અને દમણ-દીવ- શાળાઓમાં બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા 100 દિવસ વાંચન અભિયાન વર્ગ વ્‍યવસ્‍થા ગોઠવણીનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
શિક્ષણ વિભાગનાં આદેશ મુજબ દાદરા નગર હવેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જયેશભાઈ ભંડારીનાં માર્ગદર્શન મુજબ પ્રદેશની શાળાઓમાં બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા હેતુને ધ્‍યાનમાં રાખીને 100 દિવસ વાંચન અભિયાન (100 ડેયઝ ઓફરીડીંગ કમ્‍પેઈન) વર્ગ વ્‍યવસ્‍થા ગોઠવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સૌપ્રથમ પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.
હાલમાં શિક્ષણ મંત્રાલય ભારત સરકાર, નવી દિલ્‍હીનાં સોશિયલ મિડિયા પર પોસ્‍ટ કરવામાં આવેલ મુખપળષ્ઠ ઉપર પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા અથોલાનાં શિક્ષિકા બહેન શ્રીમતી અનિતાબેન ડી. રોહિત દ્વારા તૈયાર કરેલ વર્ગ દર્શાવવામાં આવ્‍યો છે. શાળાનાં આચાર્ય તથા સૌ શિક્ષકોને ગ્રામજનો અને પ્રદેશવાસીઓ તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે. હાલમાં કોવિડ ગાઈડલાઈન મુજબ ધોરણ 1 થી 8ની તમામ શાળાઓ બંધ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્‍યાસ કરતાં સૌ બાળકો શિક્ષણથી વંચિત નહી રહે તે માટે શિક્ષકો દ્વારા ઓનલાઈન તથા હોમબેજ શિક્ષણ શરૂ કરી શકાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા આયોજનનાં ભાગરૂપે પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે.

Related posts

ધરમપુર-બામટી સહિત વિવિધ કેરી માર્કેટમાં કેરીની બમ્‍પર આવકથી ભાવો ઘટયા

vartmanpravah

ચીખલી હાઈવે પર એસટી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

નાની દમણના મિટનાવાડ રામ મંદિર ખાતે 8મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવપૂર્વક કરાયેલી ઉજવણી

vartmanpravah

‘‘આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે નવસારી કલેકટર કચેરી ખાતે શપથ ગ્રહણ કરાયા

vartmanpravah

વલસાડ સિટી પેલેસ એપાર્ટમેન્‍ટના બંધ મકાનમાં કોઈકે ગણેશજીની છ ખંડિત પ્રતિમાઓ નાખી દીધી

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરના બાળકોએ જી.કે. આઈકયુ 2024 ની પરીક્ષા આપી

vartmanpravah

Leave a Comment