February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આદિવાસી ગૌરવ દિવસ અંતર્ગત આદિવાસીઓના નાયક બિરસા મુંડાની વિદ્યાર્થીઓને માહિતી અપાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવમાં આદિવાસીઓના નાયક એવા બિરસા મુંડા અંગે શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં શિક્ષિકા શિખા નાયક દ્વારા વિદ્યાર્થીઓને માહિતી અપાઈ હતી. રાજ્‍ય સરકાર દ્વારા દરેક શાળાઓમાંજનજાતિય ગૌરવ પખવાડા 2024 અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવાનું સૂચન કરવામાં આવ્‍યું હોય જેને લઈ શાળામાં ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓને 15 નવેમ્‍બર 1875 માં ઝારખંડમાં જન્‍મ લેનાર અને આદિવાસી નવયુવાન નેતા બિરસા મુંડા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્‍યા હતા. આદિવાસીઓના ભગવાન એવા બિરસા મુંડા કે જેઓએ સ્‍વાતંત્ર્ય સેનાની અને આદિવાસીઓના ઉત્‍કર્ષ માટે ઘણા પ્રયત્‍નો કર્યા હતા. તેમણે કરેલા આ પ્રયત્‍નો અંગે ઝીણવટભરી જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.

Related posts

સેલવાસ ન.પા. વિસ્‍તારમાં નિર્માણાધિન કોઈપણ જગ્‍યાએ પાણીનો ભરાવો નજરે પડશે તો જવાબદાર વ્‍યક્‍તિઓ વિરૂદ્ધ દાનહ પીડીએ વિભાગ કાનૂની કાર્યવાહી કરશે

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલે ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દર્શન કરી અનુભવેલી ધન્‍યતા

vartmanpravah

ભૂલી પડેલી પારડીની માનસિક અસ્‍થિર યુવતીનું 181 અભયમ ટીમે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્‍યું

vartmanpravah

વલસાડ હાઈવે રોલા ગામે યોજાયેલ બાઈકર્સ ઈવેન્‍ટ ભારે પડયો, જોખમી સ્‍ટંટ કરનારાઓ સામે ગુનો નોંધાયો

vartmanpravah

દાનહમાં છઠ્ઠ પૂજાની ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘાટો તૈયાર કરાયા

vartmanpravah

વલસાડમાં તા. ૧૧ મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે

vartmanpravah

Leave a Comment