March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આદિવાસી ગૌરવ દિવસ અંતર્ગત આદિવાસીઓના નાયક બિરસા મુંડાની વિદ્યાર્થીઓને માહિતી અપાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવમાં આદિવાસીઓના નાયક એવા બિરસા મુંડા અંગે શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં શિક્ષિકા શિખા નાયક દ્વારા વિદ્યાર્થીઓને માહિતી અપાઈ હતી. રાજ્‍ય સરકાર દ્વારા દરેક શાળાઓમાંજનજાતિય ગૌરવ પખવાડા 2024 અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવાનું સૂચન કરવામાં આવ્‍યું હોય જેને લઈ શાળામાં ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓને 15 નવેમ્‍બર 1875 માં ઝારખંડમાં જન્‍મ લેનાર અને આદિવાસી નવયુવાન નેતા બિરસા મુંડા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્‍યા હતા. આદિવાસીઓના ભગવાન એવા બિરસા મુંડા કે જેઓએ સ્‍વાતંત્ર્ય સેનાની અને આદિવાસીઓના ઉત્‍કર્ષ માટે ઘણા પ્રયત્‍નો કર્યા હતા. તેમણે કરેલા આ પ્રયત્‍નો અંગે ઝીણવટભરી જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.

Related posts

ધરમપુર મૂળગામ શાળાનું નવિન બાંધકામ નબળું હોવાની હકિકતો ગ્રામજનોએ ઉજાગર કરતા અંતે બાંધકામ તોડવાની નોબત

vartmanpravah

દમણ-દલવાડાના સુપ્રસિદ્ધ વાસુકીનાથ મંદિરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી કૃષ્‍ણની બાળ લીલાનું વર્ણન સાંભળી મંત્રમુગ્‍ધ બનેલા શ્રદ્ધાળુઓ

vartmanpravah

દમણમાં કરાયું નુમા ઈન્‍ડિયા કરાટે કલર બેલ્‍ટની પરીક્ષાનું સફળ આયોજન

vartmanpravah

ખડકીમાં એકલવાયું જીવન જીવતા પતિએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

vartmanpravah

દીવ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો માટે રાષ્‍ટ્રીય હેલ્‍પલાઈન 14567 ને સફરતાં પૂર્વક એક વર્ષ પૂર્ણ થતા ઘોઘલા ખારવા સમાજ હોલમાં થયો કાર્યક્રમ

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં મધરાતે ઘરમાં બારી પાસે સુતેલા યુવાન ઉપર એસિડ એટેક

vartmanpravah

Leave a Comment