(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.12: નવસારી જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યકિતઓના ૫૪૦૮૬૭ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. આજે કોરોના પોઝીટીવના ૧૪૭ કેસ નોધાયાં છે. આજદિન સુધીમાં કુલ ૮૦૬૪ પોઝીટીવ કેસો નોધાયા છે. જિલ્લામાં ૫૨૦ કોવિડ હોસ્પિટલમાં ઍકટીવ કેસ છે. કુલ ૭૩૪૬ દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી આજદિન સુધીમાં ૧૯૮ વ્યકિતઓના મૃત્યુ થયા છે. તેમ નવસારી જિલ્લા પંચાયત આરોગ્યશાખાની યાદીમાં જણાવ્યું છે.