December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી-વાંસદા ધોરીમાર્ગ પર જનતાના લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા (થર્મો પ્‍લાસ્‍ટ) સફેદ રંગના પટ્ટા ઉપર જામેલા ધૂળના ઢગલાં: નિંદ્રાધિન તંત્ર ક્‍યારે જાગશે?

રાત્રિ દરમિયાન વાહનચાલકોને ડિવાઈડર સ્‍વચ્‍છ રીતે નજરે નહીં પડતાં મોટા અકસ્‍માત થવાનો ભય

તસવી-અહમવાલ: દિપક સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.16
ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગની વચ્‍ચે બનાવવામાં આવેલી ડીવાઈડરનાં નીચેના ભાગમાં સરકારના લાખો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલા સફેદ રંગના પટ્ટા (થર્મો પ્‍લાસ્‍ટ) ઉપર ધૂળના ઢગલાં જામી જતાં વાહન ચાલકો ખાસ કરીને રાત્રિના સમયે મુશ્‍કેલીમાં મુકાઈ રહ્યા છે, છતાં સરકારશ્રીનાઅધિકારીઓ આ બાબતે અજાણ હોય તેમ આંખ આડા કાન કરી રહ્યા હોવાની લાગણી પ્રવર્તી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગો ઉપર બનાવવામાં આવેલ ડીવાઈડરનાં નીચેના ભાગમાં સફેદ રંગના પટ્ટા (થર્મો પ્‍લાસ્‍ટ) જે રાત્રી દરમ્‍યાન વાહનોની લાઇટના પ્રકાશમાં વાઇટ પટ્ટા લાઈટના ઉજાશમાં ચમકતા હોય છે અને જેનાથી રસ્‍તો સાફ દેખાતો હોય છે, પરંતુ અહીં આ થર્મોપ્‍લાસ્‍ટના પટ્ટા ઉપર ધૂળના ઢગલાં જામી જતાં વાહનચાલકો માટે અડચણ ઉભી થઈ રહી છે.
ખાસ કરીને રાત્રી દરમ્‍યાન અવર-જવર કરતા નાના-મોટા વાહન ચાલકોને સફેદ રંગના પટ્ટા નહિ દેખાતા ડિવાઈડરમાં ભટકાઈ જવાનો ડર સતાવી રહ્યો છે અને મોટું નુકસાન સાથે મોટી દુઘર્ટના થવાની ભીતિ સેવાઈ રહી છે. ચીખલી તાલુકામાંથી પસાર થતો રાજ્‍ય ધોરીમાર્ગ પર રાત્રી દરમ્‍યાન ચીખલી-વાંસદા-લઈ સાપુતારા સુધી અનેક વાહનો પસાર થતા હોય છે. જેમાંના કેટલાક વાહનો રાત્રી દરમ્‍યાન મહારાષ્‍ટના નાસિકથી આવતા વાહનોમાં શાકભાજી તેમજ અન્‍ય વેપાર અર્થે આવતા વાહનો બીલીમોરા સહિત વેપાર સાથે અકળાયેલા મોટા વાહનો રાત્રી દરમ્‍યાન ચીખલી-નવસારી-સુરત જેવા મોટા શહેરમા જવા માટે રાત્રી દરમ્‍યાન નાના-મોટા ભાગના વાહનો ચીખલી તાલુકામાંથી પસાર થતા હોય છે.જ્‍યારે મોટા વાહન ચાલકો માટે રાત્રિ દરમ્‍યાન રસ્‍તાની વચ્‍ચે મૂકવામાં આવેલ ડીવાઈડરના નીચેના ભાગે સફેદ પટ્ટા (થર્મો પ્‍લાસ્‍ટ) જે રાત્રી દરમ્‍યાન વાહનોની લાઇટના પ્રકાશથી ચમકતો હોય છે પરંતુ અહી વાઇટ પટ્ટા ઉપર ધૂળના ઢગલાં હોવાથી વાઇટ પટ્ટો લાઈટના ઉજાસમાં નહિ ચમકતા બાજુમાં થયેલ ડીવાઈડર બાંધકામ નહિ દેખાતા દુઘર્ટના ઘટવાની નોબત આવી શકે છે.
ચીખલીથી માણેકપોર સુધી રસ્‍તાની વચ્‍ચે મૂકવામાં આવેલ ડીવાઈડરના નીચેના ભાગે ધૂળનાં ઢગલા જામી જતાં પાડવામાં આવેલા (થર્મો પ્‍લાસ્‍ટ) વાઇટ પટ્ટો વાહન ચાલકોને રાત્રી દરમ્‍યાન નહિ દેખાતાં મોટી દુઘર્ટના ઘટવાની શકયતા બની શકે છે. જ્‍યારે ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગના અધિકારી નિદ્રામાંથી જાગી યોગ્‍ય રીતે ડીવાઈડરની બન્ને સાઇડે સાફ સફાઈ કરાવેએ જરૂરી બન્‍યું છે.

Related posts

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયનો આદેશ  સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ મહાદેવ દુમ્‍બરેની આઈ.જી. તરીકે બઢતીઃ એસ.પી. અમિત શર્મા અને આર.પી.મીણાને ડીઆઈજીપી પદ ઉપર પ્રમોશન

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

દાનહમાં ભાજપ સંગઠનના ફાટેલા આભને પ્રદેશ પ્રભારીએ થિંગડા મારવા શરૂ કરી કોશિષ

vartmanpravah

ઉમરગામ જેટીની હાથ ધરાયેલી સર્વેની કામગીરી

vartmanpravah

પીપલસેત ખાતે નવનિર્મિત આંગણવાડીના મકાન-નંદઘરનું લોકાર્પણ કરતા આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠન દ્વારા ‘વિશ્વ આદિવાસી દિવસ’ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment