September 1, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દમણમાં એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા પક્ષીઓ બચાવો અભિયાન યોજાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16
દમણમાં એનિમલ સેવિંગ ગ્રૂપ દ્વારા પક્ષીઓ બચાવો અભિયાન 2022 અંતર્ગત, જો કોઈ પક્ષી પતંગથી ઘાયલ થાય અથવા પતંગના દોરામાં ફસાઈ જાય તો આ સંસ્‍થા તેમને બચાવવા માટે હંમેશા તત્‍પર રહે છે. મકરસંક્રાંતિનાતહેવાર નિમિત્તે અથવા અન્‍ય કોઈપણ કારણોસર ઘાયલ પક્ષીના બચાવ કાર્ય કરવામાં આવે છે.
આ અવસરે દમણ જિલ્લા પ્રમુખ અને ડીએમસી કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયાએ આ સંસ્‍થાના કાર્યને બિરદાવ્‍યું હતું અને પ્રોત્‍સાહિત કર્યા હતા તેમજ આવા જ ઉમદા કાર્યને પ્રોત્‍સાહન આપી સંસ્‍થાને પક્ષીઓને બચાવવા જણાવ્‍યું હતું. જો કોઈ પ્રાણી કે પક્ષી ઈજાગ્રસ્‍ત હાલતમાં દેખાય તો આ સંસ્‍થાની હેલ્‍પલાઈન નં. 9979435426 અને 7069198153 ઉપર પણ સંપર્ક કરવા જણાવાયું હતું. નાની દમણ બસ ડેપો સ્‍થિત સિટી સેન્‍ટર ખાતે એનિમલ સેવિંગ ગ્રુપનો કેમ્‍પ યોજાયો હતો.

Related posts

આંટિયાવાડના સરપંચ ઉર્વશીબેન જયેશભાઈ પટેલે સાધનહીન પરિવારોના વિદ્યાર્થીઓને આરોગ્‍યલક્ષી કિટનું વિતરણ કરી આપ્‍યો સ્‍વચ્‍છતાનો સંદેશ

vartmanpravah

દમણ-દીવના સાંસદને જ કેમ વિકાસ દેખાતો નથી?

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ગામડાઓ ખૂંદીને ચોથા દિવસે વલસાડ શહેરમાં આવી પહોંચ્યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ચૂંટણી મતદાનમાં 16112 મતો ઈવીએમમાં નોટામાં પડયા

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસે મુથ્‍થુ ગેંગના બે આરોપીને ઝડપી પાડયા

vartmanpravah

દાનહ જિ.પં.ની ચૂંટાયેલી પાંખની ઉદાસિનતાથી ઈરીગેશન વિભાગના 400થી વધુ કર્મીઓ છેલ્લા 4 મહિનાથી પગારથી વંચિત

vartmanpravah

Leave a Comment