(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.17
હિંદુ ધાર્મિક ગ્રંથો અનુસાર 14મી જાન્યુઆરી એટલે કે શુક્રવારે સૂર્ય ભગવાન ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે તો તે પાવન પર્વે અર્થાત મકર સંક્રાંતિના દિવસે ‘આઝાદી કા અમળત મહોત્સવ‘અંતર્ગત નિમિત્તે હળવા આસનો તેમજ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સેવા યોજના, દીવ કોલેજ, દીવ દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રાચીન કાળથી શરીર અને મનની તંદુરસ્તી માટે યોગસનો મહત્વ આપવામાં આવ્યું છે અને તેનું સાંસ્કળતિક રીતે પણ મહત્વ રહેલું છે. વર્તમાન કોરોનાકાળને ધ્યાનમાં રાખીને આજરોજ મકર સંક્રાંતિના દિવસે તંદુરસ્ત સ્વાસ્થ્યની કામના સાથે ગોમતી માતા બીચ, વણાંકબારા ખાતે સૂર્ય નમસ્કાર, અનુલોમ-વિલોમ, પ્રાણાયામ તેમજ હળવા આસનો સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યા હતા અને આ રીતે યોગ અને આસનો દ્વારા મકર સંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન એન.એસ.એસ. પ્રોગામ ઓફિસર પ્રા.કોકિલા ડાભીએ દીવ કોલેજના પ્રાચાર્ય શ્રી વિવેકકુમારના નેતળત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.