October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના મગરવાડાનો યુવાન દાનહ વાઘચૌડા દમણગંગા નદીમાં ડૂબ્યો અન્ય એક મિત્રને ડૂબતા ગામલોકોએ બચાવ્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02: દમણથી મિત્રો સાથે દૂધની ગામે ફરવા આવેલ યુવાન દમણગંગા નદીમાં ન્‍હાવા જતા ડૂબી જતા મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ધ્રુવ સુરેશ પટેલ (ઉ.વ.19) રહેવાસી ભરવાડ ફળિયા મગરવાડા, મોટી દમણ. જે તેના મિત્રો સાથે દાદરા નગર હવેલીના દૂધની અને આજુબાજુના પર્યટન સ્‍થળોએ ફરવા ગયા હતા. આજે બપોરે એક વાગ્‍યાના સુમારે તમામ મિત્રો ભેગા થઈ નીચલા મેઢા, વાઘચૌડા ગામથી વહેતી દમણગંગા નદીમાં ન્‍હાવા માટે ઉત્‍સાહિત બની હતા નદીમાં કૂદકો માર્યો હતો. ત્‍યારબાદ તે નદીના પાણીની અંદર જ ફસાઈ ગયો હતો. ધ્રુવ પાણીમાં ઉપર નહિ દેખાતા મિત્રોએ એની શોધખોળ હાથ ધરી હતી. ભારે શોધખોળ કરવા છતાં પણ ધ્રુવ ક્‍યાંક મળી આવ્‍યો નહીં હતો. ગભરાયેલા મિત્રોએ આ ઘટના અંગે સ્‍થાનિક ગ્રામજનોને કરી હતી. ગ્રામજનો તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા અને નદીના પાણીની અંદર ધ્રુવની શોધખોળ શરૂ કરી હતી, તે દરમ્‍યાન કાદવમાં ફસાઈ ગયેલ હાલતમાં ધ્રુવ મળી આવ્‍યો હતો. સાથે બીજો એક મિત્ર પણ ડૂબતા ડૂબતા બચી ગયો હતો, જેને પણતાત્‍કાલિક બહાર કાઢી ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સારવાર અર્થે સબ જિલ્લા હોસ્‍પિટલ ખાનવેલ લઈ જવામાં આવ્‍યા હતાં જ્‍યાં ફરજ પરના તબીબે ધ્રુવને મૃત જાહેર કર્યો હતો અને એના મિત્રને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી.
આ ઘટના અંગે દ્રવિડ સુરેશ પટેલ- રહેવાસી મગરવાડા, મોટી દમણનાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આઇ.પી.સી. 174 મુજબ ગુનો નોંધી વધુ તપાસ દૂધની પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ પી.એસ.આઈ. લીલાધર મકવાણા કરી રહ્યા છે.

Related posts

‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત સમારંભમાં દમણના વરિષ્‍ઠ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલે આપેલું જોશપૂર્ણ ભાષણઃ આદિવાસી સમાજમાં શરૂ થયેલુંશિક્ષણનું ચિંતનઃ ઉજ્જવળ ભવિષ્‍યનું મંથન

vartmanpravah

સરપંચ લખીબેન પ્રેમાની અધ્‍યક્ષતામાં મળેલી મગરવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાનને આપવામાં આવેલી સર્વાનુમત્તે મંજૂરી

vartmanpravah

વાપીમાં નવીન સ્‍ટાર્ટઅપ ટિકકુ કોન્‍ડિમેન્‍ટ્‍સ પ્રા.લી.નું કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઈએ ઉદઘાટન કર્યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં 12 થી 14 વર્ષની વયજુથના બાળકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ: પ્રથમ દિવસે સાંજના 4-30 વાગ્‍યા સુધીમાં 2858 બાળકોને રસી અપાઈ

vartmanpravah

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા ઈન્‍ટરનેશનલ ડે ઓફ ક્‍લીન એયર ફોર બ્‍લુ સ્‍કાઈ ઉજવાયો

vartmanpravah

વલસાડના કુંડી ગામમાં વાવાઝોડાથી 10 થી 15 જેટલા મકાનોના છાપરા ઉડયા : અનેક ઘરોમાં પાણી ભરાયા

vartmanpravah

Leave a Comment