December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જીલ્લામાં કોરોનાની બેટીંગ : ગુરૂવારે 446 પોઝીટીવ દર્દીનો સ્‍કોર નોંધાયો

335 દર્દીઓ સાજા થયા સૌથી વધારે કેસ વલસાડ વિસ્‍તારમાં 267 નોંધાયા
(વર્તમાન પ્રવાહ, ન્‍યુઝ નેટવર્ક) વાપી બ્‍યુરો, તા.20:
વલસાડ જિલ્લામાં કોરોનાએ ધૂંઆધાર બેટીંગ કરી જિલ્લાને ડેન્‍જર ઝોનમાં ધકેલી દીધો છે. ગુરૂવારે જીલ્લામાં પાંચ સેન્‍ચુરી નજીક 446 સ્‍કોર કોરોનાએ નોંધાવતા સ્‍થિતિ ગંભીરતા તરફ આગળ ધપી રહી છે.
વલસાડ જીલ્લામાં કોરોના છેલ્લા એક સપ્તાહથી રોજના બમણા વેગે પોઝીટીવ કેસ વધી રહ્યા છે. ગુરૂવારે સૌથી વધારે વલસાડ વિસ્‍તારમાં 237, પારડી વિસ્‍તારમાં 50, વાપી 87, ઉમરગામ 28, ધરમપુર 34 અને કપરાડામાં 10 મળી કુલ 446 જેટલા આંચકાજનક કેસો નોંધાયા હતાં. રાહતના સમાચાર એ રહ્યા છે કે ગુરૂવારે 335 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી. પરંતુ આ રાહત ક્ષણિક લેખાવવી રહી, કારણકે, જયાં સુધી કોરોનાના કેસોની બેફામ વધતી રફતાર થંભે નહીં ત્‍યાં સુધી જિલ્લા માટે લાલબત્તી સમાન સ્‍થિતિ જોવી રહી.

Related posts

વાપી આર.કે. દેસાઈ ગૃપ ઓફ કોલેજીસમાં આરતી શણગાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી-દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

વાપી અંબામાતા મંદિરે દાદા-દાદીની સ્‍મૃતિમાં દરરોજ મસાલા ખિચડીનું વિતરણ

vartmanpravah

પ્રદેશના વિદ્યુત નિગમના ખાનગીકરણ થયા બાદ દાનહના લગભગ 30 હજાર જેટલા ગરીબ આદિવાસીઓ ઉપર ફરી દિવા-ફાનસના યુગમાં આવવાનું તોળાતુ સંકટ

vartmanpravah

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભામટી તળાવ ફળિયા ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment