આર.પી.એફ. જવાન ઉત્તમ સિંઘે એ મજુર પરિવાર પત્ની અને કિશોરીને માર મારી દાદાગીરી કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: વલસાડ નનકવાડાવિસ્તારમાં આવેલ ટીવી રીલે કેન્દ્ર પાસે જયનગર સોસાયટીમાં પાલિકાની ગટર કામગીરી ચાલી રહી હતી ત્યારે આજે ગુરૂવારે સવારે શ્રમિક પરિવાર અને આર.પી.એફ. જવાનના પરિવાર વચ્ચે પાણી રેડવા માટે બબાલ થઈ હતી. જેમાં આર.પી.એફ. જવાને શ્રમિક પરિવારના પતિ, પત્ની અને 15 વર્ષિય કિશોરીને માર માર્યા હતા. ઘાયલ પરિવારને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
વલસાડ નનકવાડા ટીવી રીલે કેન્દ્ર પાસે ચાલી રહેલ ગટર ખોદકામની કામગીરી શ્રમિક રમશુભાઈ અને પત્ની તથા દિકરી ખોદકામ કરી રહેલા હતા. જેમાં સોસાયટીમાં રહેતા આર.પી.એફ. જવાન ઉત્તમસિંગની પત્નીને પાણી નહી ઢોળવા બાબતે શ્રમિકો અને જવાનની પત્ની વચ્ચે બોલાચાલી, બબાલ, ઝઘડો થયો હતો. તેથી આર.પી.એફ. જવાનને ઉત્તમસિંગે શ્રમિક પરિવારને દાદાગીરી, માર માર્યો હોવાનું કહેવાય છે. બબાલ વધુ વણશે તે પહેલા સોસાયટીના રહીશોએ મામલો થાળે પાડયો હતો. બબાલ-મારામારીમાં ઘાયલ થયેલ શ્રમિકની પત્ની અને પૂત્રીને સિવિલમાં સારવાર માટે ખસેડયા હતા. સિવિલમાં આવી સીટી પોલીસે ભોગ બનનારના નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી હતી.