Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ જિલ્લાની આંગણવાડીઓમાં હવેથી લાભાર્થીઓને બાલશક્‍તિ તેમજ માતૃશક્‍તિ મિશ્રણ આપવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.02: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્‍યલ વેલ્‍ફેર વિભાગના સેક્રેટરી શ્રીમતી પૂજા જૈન તેમજ ડે. સેક્રેટરી શ્રીજતિન ગોયલનાં દિશા-નિર્દેશન તેમજ દીવ જિલ્લાના કલેક્‍ટર શ્રીમતી સલોની રાયનાં માર્ગદર્શનથી જિલ્લામાં કાર્યરત બાલ વિકાસ પરિયોજના કાર્યાલય દ્વારા પોષણ અભિયાન અંતર્ગત પાયલોટ બેઝ પર આંગણવાડીનાં 6 મહિના થી 6 વર્ષ સુધીના દરેક લાભાર્થી બાળકોને સૂક્ષ્મ પોષક તત્ત્વો, ઉચ્‍ચ ગુણવત્તા, બુદ્ધિવર્ધક, શક્‍તિવર્ધક બાલશક્‍તિ અને સગર્ભા, ધાત્રી માતાઓ માટે વિવિધ અનાજનું બનાવાયેલું મિશ્રણ જે માતાઓ અને બાળકોને સંપૂર્ણ પોષણ મળી રહે તેમજ કુપોષિત નહી રહે તે માટે સંઘ પ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ તેમજ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા અથાક પ્રયત્‍નો કરવામાં આવી રહ્યા છે. જેનાથી લાભાર્થીઓના આરોગ્‍યને ઘણાં લાભો પ્રાપ્ત થશે.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં બાળભવનના મકાનનું ઉદ્ધાટન કરાયું 

vartmanpravah

મગરવાડા ગ્રા.પં.માં જીએસટી શિબિર યોજાઈ

vartmanpravah

કપરાડાના દહીખેડમાં આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે કેરિયર ગાઈડન્‍સનો સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી કોચરવા ગામના સરપંચે મહિલાઓને ગાળો આપતા સરપંચ વિરૂધ્‍ધ મહિલાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી

vartmanpravah

બગવાડાની યુવતીએ સંબંધ રાખવાની ના કહેતા તીઘરના યુવકે પ્રવાહી પીવડાવ્‍યું

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવેના સર્વિસ રોડના નવીનિકરણનું હાઈવે ઓથોરિટી દ્વારા કામ હાથ ધરાયું : વાહન ચાલકોને રાહત થશે

vartmanpravah

Leave a Comment