July 16, 2026
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ જિલ્લાની આંગણવાડીઓમાં હવેથી લાભાર્થીઓને બાલશક્‍તિ તેમજ માતૃશક્‍તિ મિશ્રણ આપવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.02: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્‍યલ વેલ્‍ફેર વિભાગના સેક્રેટરી શ્રીમતી પૂજા જૈન તેમજ ડે. સેક્રેટરી શ્રીજતિન ગોયલનાં દિશા-નિર્દેશન તેમજ દીવ જિલ્લાના કલેક્‍ટર શ્રીમતી સલોની રાયનાં માર્ગદર્શનથી જિલ્લામાં કાર્યરત બાલ વિકાસ પરિયોજના કાર્યાલય દ્વારા પોષણ અભિયાન અંતર્ગત પાયલોટ બેઝ પર આંગણવાડીનાં 6 મહિના થી 6 વર્ષ સુધીના દરેક લાભાર્થી બાળકોને સૂક્ષ્મ પોષક તત્ત્વો, ઉચ્‍ચ ગુણવત્તા, બુદ્ધિવર્ધક, શક્‍તિવર્ધક બાલશક્‍તિ અને સગર્ભા, ધાત્રી માતાઓ માટે વિવિધ અનાજનું બનાવાયેલું મિશ્રણ જે માતાઓ અને બાળકોને સંપૂર્ણ પોષણ મળી રહે તેમજ કુપોષિત નહી રહે તે માટે સંઘ પ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ તેમજ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા અથાક પ્રયત્‍નો કરવામાં આવી રહ્યા છે. જેનાથી લાભાર્થીઓના આરોગ્‍યને ઘણાં લાભો પ્રાપ્ત થશે.

Related posts

ભીલોસા ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા નરોલી ગ્રામ પંચાયતને મોક્ષ રથની અપાયેલ ભેટ: જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાના હસ્‍તે મોક્ષ રથનું કરાયું ઉદ્‌ઘાટન

vartmanpravah

આજે સંઘપ્રદેશ તથા વાપી વિસ્‍તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

vartmanpravah

ખેરગામમાં ડ્રેનેજના અભાવે એક એપાર્ટ. પડું પડું બીજું નવું પણ ખાલી ખાલી

vartmanpravah

ધરમપુરના લેડી વિલ્‍સનમ્‍યુઝિયમમાં નિઃશુલ્‍ક સમર કેમ્‍પ યોજાશે

vartmanpravah

ચીખલીના કુકેરી ગામે સસરાએ જમાઈને કુહાડીથી મારતા હાસ્‍પિટલ ખસેડાયો

vartmanpravah

છેલ્લાં પાંચેક મહિનાથી પરિશ્રમ કરી મૂર્તિકારો ગણેશજીની મૂર્તિઓને સજાવટમાં આખરી ઓપ આપી રહ્યાછે

vartmanpravah

Leave a Comment