(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સુરત, તા.08: કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડ (સીઆઈએલ)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આજે કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડના ન્યુટ્રિઅન્ટ બિઝનેસના એક્ઝિકયુટિવ ડાયરેક્ટર એસ. શંકરસુબ્રમણ્યનની 07 ઓગસ્ટ, 2024થી મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિકયુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે નિમણૂંક કર્યાંની જાહેરાત કરી છે.
શંકરસુબ્રમણ્યન બહોળો અનુભવ ધરાવે છે તથા ચીફ ફાઈનાન્સ ઓફિસર અને બિઝનેસ હેડ તરીકેનો મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવે છે. તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાંથી મેથેમેટિક્સ ગ્રેજ્યુએટ છે તેમજ ઈન્સ્ટિટયૂટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના સદસ્ય છે. તેમણે વર્ષ 2009માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એડવાન્સ્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ (એએમપી) પૂર્ણકર્યો હતો.
મુરુગપ્પા સમૂહ સાથે તેઓ વર્ષ 1993થી જોડાયેલા છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ઈ.આઈ.ડી. પેરી (ઈન્ડિયા) લિમિટેડમાં કોર્પોરેટ ફાઈનાન્સમાં શરૂ કરી હતી, જ્યાં તેમણે વિવિધ ભૂમિકામાં પ્રગતિ કરી હતી અને ત્યારબાદ વર્ષ 2003માં કોરોમંડલ ઈન્ટરનેશનલ સાથે જોડાયા હતાં.
ન્યુટ્રિઅન્ટ સેગમેન્ટના બિઝનેસ હેડ તરીકેના તેમના કાર્યકાળમાં કોરોમંડલે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઉપસ્થિતિને મજબૂત કરી છે અને નફાકારકતા વધી છે તથા નેનો ટેકનોલોજી અને ડ્રોન સ્પ્રેઇંગ સર્વિસિસ સહિતની નવી પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વિવિધતા ઉપરાંત માઈનિંગ કામગીરીમાં પ્રવેશ કર્યો છે. તેઓ કંપનીની કેટલીક પેટા કંપનીઓની સાથે-સાથે ફર્ટિલાઈઝર એસોસિએશન ઓફ ઈન્ડિયા, ટયુનિશિયન ઈન્ડિયન ફર્ટિલાઇઝર એસ.એ., ટયુનિશિયા અને ફોસ્કોર (પ્રાઈવેટ) લિમિટેડ, સાઉથ આફ્રિકાના બોર્ડમાં પણ કાર્યરત છે.