Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં શરૂ કરાયેલ સ્‍વચ્‍છતા અભિયાન હવે આંદોલનમાં ફેરવાઈ

ગ્રાઉન્‍ડ ઝીરો પર ગ્રામ્‍ય લોકપ્રતિનિધિઓ સફાઈ અભિયાનનું કરેલું નિરીક્ષણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલું સ્‍વચ્‍છતા અભિયાન હવે આંદોલનમાં ફેરવાઈ ગયું છે. 24મી જાન્‍યુઆરીએ સ્‍વચ્‍છતા અભિયાનની સાથે સાથે પ્રદેશને કાયમી ધોરણે સ્‍વચ્‍છ રાખવાનું અભિયાન શરૂ કરવામાં આવ્‍યું હતું.
આ અભિયાનમાં ગ્રામ પંચાયતના સરપંચો અને સભ્‍યોએ પોતપોતાના પંચાયત વિસ્‍તારમાં ગ્રાઉન્‍ડ ઝીરો પર ઉતરીને સ્‍વચ્‍છતા અભિયાનમાં સહયોગઆપવાનું શરૂ કર્યું છે. ગામના જનપ્રતિનિધિઓ સવારે અને સાંજે પોતપોતાના વિસ્‍તારમાં સફાઈ કામદારો દ્વારા કરવામાં આવતી સફાઈનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ સાથે સફાઈ કામદારોને સહકાર અને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. તેમજ તમામ ચૂંટાયેલા સભ્‍યો તાજેતરમાં શરૂ કરાયેલ સ્‍વચ્‍છતા પ્રહરી મોબાઈલ એપનો ઉપયોગ કરીને પંચાયત વિસ્‍તારમાં પડેલા કચરાને સાફ કરવા માટે સ્‍વચ્‍છતા પ્રહરી મોબાઈલ એપ દ્વારા સંબંધિત પંચાયત સચિવને પણ જાણ કરી રહ્યા છે.
લોકપ્રતિનિધિઓએ ગ્રામજનોને આ સ્‍વચ્‍છતા જન અભિયાનથી વાકેફ કર્યા અને આ આંદોલનમાં જોડાવા અને સ્‍વચ્‍છતા પ્રહરી મોબાઈલ એપનો ઉપયોગ કરવા જાગળત કર્યા હતા.
સંઘપ્રદેશ પ્રદેશ પ્રશાસન વતી તમામ ગ્રામીણ લોકપ્રતિનિધિઓને અપીલ કરવામાં આવી છે હતી કે તમે પણ આ રીતે સ્‍વચ્‍છતાના આ જન આંદોલનનો હિસ્‍સો બનો. આ પ્રદેશમાં કાયમી સ્‍વચ્‍છતા માટે તમારી જનભાગીદારી જરૂરી છે. તમારે તમારા પંચાયત વિસ્‍તારમાં સવારે અને સાંજે 30 મિનિટ સુધી ગ્રામજનોને સ્‍વચ્‍છતા અભિયાન વિશે જાગળત કરવા જોઈએ અને તેમને આ આંદોલનમાં ભાગ લેવા માટે પ્રોત્‍સાહિત કરવા જોઈએ.
પ્રશાસન તરફથી એવી આશા વ્‍યક્‍ત કરવામાં આવી છે કે આજ જનતા અને પ્રશાસનના સંયુક્‍તપ્રયાસોથી જ સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ સ્‍વચ્‍છતાની દિશામાં ભારતના વિવિધ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશો માટે ઉદાહરણરૂપ બનશે.
ઉલ્લેખનીય છે કે, સ્‍વચ્‍છતાના મામલે કેન્‍દ્ર પ્રદેશને સમગ્ર દેશમાં 3ડીની ઓળખ અપાવવાનું કાર્ય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કર્યુ છે. સ્‍વચ્‍છ પ્રદેશની આ ઓળખ જાળવી રાખવા માટે 24 જાન્‍યુઆરી 2022ના રોજ ‘સ્‍વચ્‍છતા અભિયાન આદતો બદલવાનું અભિયાન’ શરૂ કરવામાં આવ્‍યું હતું. આ સાથે સંઘપ્રદેશમાં થ્રીડીમાં સ્‍વચ્‍છતાનો નવો આયામ શરૂ થયો હતો. આજે ગ્રાઉન્‍ડ ઝીરો પર ગ્રામ્‍ય લોકપ્રતિનિધિઓની હાજરી આ અભિયાનની સફળતા દર્શાવે છે.

Related posts

ધરમપુરના માંકડબનમાં પ્રથમ સમૂહલગ્નોત્‍સવમાં 30 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે 30મી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાશે

vartmanpravah

વલસાડની 9 મહિલા સાહિત્‍યકારને નગર રત્‍નથી સન્‍માનિત કરી વિશ્વ મહિલા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સ્‍વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્‍મ દિન નિમિત્તે સેલવાસની લાયન્‍સ અંગ્રેજી શાળામાં ‘બાળ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીન અને દુનિયામાં વધી રહેલ કોવિડ-19ના રોગીઓને લઈ દાનહ અને દમણ દીવનું આરોગ્‍ય વિભાગ સતર્કઃ આરોગ્‍ય સચિવ ડો. તપસ્‍યા રાઘવે વિભાગના અધિકારીઓ સાથે કરેલું ચિંતન-મનન

vartmanpravah

દમણ બાલ ભવન બોર્ડ દ્વારા માતળભાષા દિવસના શુભ અવસર પર સંગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment