Vartman Pravah
Breaking Newsવાપી

રેલ્‍વે સંસદીય બેઠકમાં ભાગ લેવા પૂર્વે વાપીમાંપધારેલ સીકર સાંસદ સ્‍વામી સુમેદાનંદ સરસ્‍વતિનું સ્‍વાગત કરાયું

રાજસ્‍થાન પ્રગતિ મંડળ ભવનની મુલાકાત દરમિયાન સીકર, ઝુઝનું જિલ્લાના વતની માટે સીધી ટ્રેન સુવિધાની રજૂઆત કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24
મુંબઈ ખાતે યોજાનાર રેલ્‍વે સંસદીય બેઠકમાં ભાગ લેવા નિકળેલા સીકર રાજસ્‍થાનના સાંસદ સ્‍વામી સુમેદાનંદે વાપીમાં રોકાણ કર્યુ હતું. સાંસદનું રાજસ્‍થાન પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતં.
રાજસ્‍થાન સીકરના સાંસદ સ્‍વામી સુમેદાનંદન મુંબઈ રેલ્‍વે સંસદીય બેઠકમાં ભાગ લેવા પૂર્વે આજે વાપીમાં થોડો સમય રોકાણ કર્યુ હતું. રાજસ્‍થાન ભવન સેલવાસ રોડ ઉપર તેમનું સ્‍વાગત-સન્‍માન કરવામાં આવ્‍યું હતું. રાજસ્‍થાન સમાજના અગ્રણી અને ભવન ટ્રસ્‍ટી શ્રી બી.કે.દાયમાએ રાજસ્‍થાની પરિવારો અહી વસવાટ કરે છે. તે પૈકી સીકર, ઝુઝનુ અને ચુરુ જિલ્લાના લોકો માટે રેલ્‍વેની સીધી સુધિા ઉપલબ્‍ધ નથી. તે અંગે વિશદ રજૂઆત દાયમાજીએ કરી હતી.
પ્રવાસીઓને બાંદ્રા-હિસાર, બાંદ્રા-જમ્‍મુ તાવી જેવી ટ્રેનોમાં ભીડ વચ્‍ચે મુસાફરીક કરવી પડે છે. તેમજ હાલમાં શરૂ કરાયેલ દુરંતોનું રાજસ્‍થાન માટે ઉપયોગ એવો સુરત-વાપી સ્‍ટેશનો ઉપર સ્‍ટોપેજ નથી. તેથી તેમણે સાંસદ સ્‍વામી સુમેદાનંદને જણાવ્‍યું હતું કે,રેલ્‍વે મંત્રાલય ઉપર દબાણ લાવી અમુક ટ્રેનો દૈનિક અને દુરંતો જેવી ટ્રેનના સ્‍ટોપેજ મળે તેવી ખાસ જરૂરિયાત છે. સાંસદ શ્રી રાજસ્‍થાન ભવનની મુલાકાતથી પ્રભાવિત થયા હતા તેમજ સંસદીય રેલ્‍વની મીટીંગમાં વાપીની સમસ્‍યા અંગે પ્રશ્ન ઉઠાવવાનો સધિયારો પણ આપ્‍યો હતો.
આ પ્રસંગ રાજસ્‍થાન પ્રગતિ મંડળના ટ્રસ્‍ટી યદુનંદન જાલુકા સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહીને સાંસદ સ્‍વામી સુમેદાનંદજીની મુલાકાત લેવા બદલ આભાર માન્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના અધ્‍યક્ષસ્‍થાને બાળકો માટે નિઃશૂલ્‍ક નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુર કાકડકુવા ગામે ડ્રાઈવરો માટે અમલી બનેલ કાયદાનો વિરોધ કરવા મોટી સંખ્‍યામાં ડ્રાઈવરોની સભા યોજાઈ

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે સુંઠવાડ પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે એકને ઝડપી પાડી અન્‍ય એકને વોન્‍ટેડ જાહેર કર્યો

vartmanpravah

કરજગામ રાયવાડીમાં બોરિંગોમાંથી નીકળતું કલર યુક્‍ત પાણીની સમસ્‍યા યથાવત્‌

vartmanpravah

મહિલા સામખ્ય દ્વારા ધરમપુર ખાતે “મારી વ્યથા મને માર્ગદર્શન” અંતર્ગત વર્કશોપ યોજાયો

vartmanpravah

ચીખલી-વાંસદા માર્ગ ઉપર માણેકપોર પાસે કારે મોટર સાયકલને અડફેટે લીધા બાદ મેડિકલ સ્‍ટોરના ઓટલા પર ચઢી જતા અફરાતફરી મચી

vartmanpravah

Leave a Comment