December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી-રૂમલાના આંબાપાડા અને ચિકારપાડામાં મોબાઈલ નેટવર્ક નહીં પકડાતા ધારાસભ્‍યને રાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.04
ચીખલી તાલુકાના રૂમલા ગામના આંબાપાડા અનેચીકારપાડા વિસ્‍તારમાં મોબાઈલ નેટવર્ક નહિ હોવાથી ચીખલી-વાંસદાના ધારાસભ્‍ય શ્રી અનંત પટેલની આગેવાનીમાં સ્‍થાનિકો સાથે મિટિંગ યોજવામાં આવી હતી.
નવનિયુક્‍ત ચીકારપાડા અને આંબાપાડા જે નવા ગામો રૂમલાગામેથી છુટા પડતા આ ગામોમાં મોબાઈલ નેટવર્ક નહિ હોવાની સ્‍થાનિકોની માંગણી માટે ચીખલી-વાંસદાના ધારાસભ્‍ય શ્રી અનંત પટેલની આગેવાનીમાં મિટિંગ યોજવામાં આવી હતી.
સ્‍થાનિકોની વારંવારની માંગણી હોવા છતાં આ વિસ્‍તાર મોબાઈલ નેટવર્કથી વંચિત રહેવા પામ્‍યો હતો. આ વિસ્‍તારના બાળકો ઓનલાઈન શિક્ષણથી વંચિત રહેવા પામ્‍યા હતા. આ મિટિંગમાં ધારાસભ્‍ય શ્રી અનંત પટેલે જણાવ્‍યું હતું કે, આદિવાસી વિસ્‍તાર મોબાઈલ નેટવર્કથી વંચિત રહેવા પામ્‍યો છે.
આવા વિસ્‍તારના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત રહી જવા પામે છે. હાલમાં જ આવી રહેલી સરકારી ભર્તિના ફોર્મ પણ ઓનલાઈન ભરવાના હોય એનાથી પણ યુવાનો વંચિત રહી જવા પામી છે.
આ સરકાર આદિવાસી યુવાનોને મોબાઈલ નેટવર્ક પુરૂ પાડતી ન હોય તો આવનાર સમયમાં યુવાનો અને આગેવાનો સાથે રસ્‍તાપર નીકળી આંદોલન કરીશું.
આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી મગનભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી હસમુખભાઈ, શ્રીમગનભાઇ ગાવિત, શ્રી અનિલભાઈ સહિત મોટી સંખ્‍યામાં યુવાનો ભેગા થયા હતા.

Related posts

દાનહમાં પોલીસના અમાનવીય કૃત્ય અંગે ગોર બંજારા સમાજ દ્વારા પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ

vartmanpravah

દાનહના સામરવરણી ચાર રસ્‍તા નજીક અકસ્‍માતમાં દમણના એક યુવાનનું ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને દિશા-નિર્દેશ હેઠળ દમણ જીએસટી વિભાગ પોતાનો દાયરો વધારશેઃ 11થી 30 એપ્રિલ સુધી દરેક પંચાયતો ઉપર રજીસ્‍ટ્રેશન કેમ્‍પનું આયોજન

vartmanpravah

વલસાડમાં રાજ્‍યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વિકાસ સપ્તાહઉજવણીનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મોબાઈલની મોકાણ : હર્યો ભર્યો સંસાર ઉજળતા રહી ગયો

vartmanpravah

Leave a Comment