April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ ઘડોઈ ગામ આસપાસ વિસ્‍તારમાં દહેશત ફેલાવી રહેલો દિપડો અંતે પાંજરે પુરાયો

એક અઠવાડિયાથી લોકો દિપડાના ડરને લઈ દિવસે પણ વાડી ખેતર જતા ડરી રહ્યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09
વલસાડ નજીક આવેલઘડોઈ વિસ્‍તારમાં છેલ્લા એક અઠવાડિયાથી વારંવાર દીપડો દેખાતા લોકોમાં દહેશતનું વાતાવરણ ફેલાઈ ચૂક્‍યું હતું. ગામ લોકો ખેતર વાડીમાં દિવસે પણ જતા ડરી રહ્યા હતા. વનવિભાગ ચાર-પાંચ દિવસથી દિપડાને પકડવા માટે મહેનત પણ કરી રહ્યા હતા. અંતે આજે સવારે દિપડો પાંજરે પુરાતા ગામવાસીઓએ રાહતનો દમ લીધો હતો.
વલસાડના ઘડાઈ ગામમાં પાછલા સાત-આઠ દિવસથી વારંવાર દિપડો દેખાતો રહ્યો હતો. ત્રણ દિવસ પહેલા ગામના છેવાડે એક બકરાનું મારણ કર્યુ હતું. દિપડા અંગે ગ્રામજનોએ વન વિભાગને પણ જાણ કરી હતી. તેથી સજાગ બનેલ વનવિભાગ પણ ત્રણ-ચાર દિવસથી દિપડાને પકડવા મહેનત કરી રહ્યા હતા. અંતે સુરેશભાઈ પટેલની વાડીમાં રાખવામાં આવેલ પાંજરામાં અંતે આજે સવારે કેદ થઈ ચૂક્‍યો હતો. આ સમાચારથી લોકોએ રાહત અનુભવી હતી. ગ્રામવાસીઓ દિપડાને જોવા પણ દોડી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, વલસાડ વિસ્‍તારમાં વારંવાર દિપડાની એન્‍ટ્રી જોવા મળી હતી. તે પણ ચિંતાનો વિષય લોકો અને વનવિભાગ માટે બની રહ્યો છે.

Related posts

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોની વરણી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ટોકરખાડા વિસ્‍તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

vartmanpravah

ચોમાસુ પૂર્ણ થાય ત્‍યાં સુધી દાનહના વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક 26મી જૂનથી મુલાકાતીઓ માટે બંધ

vartmanpravah

ઉદ્યોગોના કારણે જ વધેલી દમણની ઓળખ અને સમૃદ્ધિઃ મુકેશ ગોસાવી-દમણવાડા સરપંચ

vartmanpravah

દાનહના નરોલીમાં ટેન્‍કર અને કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

Leave a Comment