Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સતત ત્રણ દિવસ અધિકારીઓ સાથે પ્રેઝન્‍ટેશનો અને સમીક્ષા બેઠક બાદ દમણ-સેલવાસના નિર્માણાધીન શૈક્ષણિક સંકુલની લીધેલી મુલાકાત

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના સામાજિક, આર્થિક, શૈક્ષણિક તથા સાંસ્‍કૃતિક વિકાસમાં કોઈ કસર બાકી નહી રહી જાય અને વિવિધ પ્રોજેક્‍ટોના કાર્યાન્‍વયનમાં કોઈ ક્ષતિ નહી રહે તે માટે ઉચ્‍ચ અધિકારીઓ સાથે કરેલું મનન-મંથન અને મસલત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.09
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણ સચિવાલય ખાતે લગાતાર ત્રણ દિવસ અધિકારીઓ અને વિવિધ એજન્‍સીઓના પ્રેઝન્‍ટેશન નિહાળી જરૂરી સૂચનાઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી. સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવના સામાજિક, આર્થિક, શૈક્ષણિક તથા સાંસ્‍કૃતિક વિકાસમાં કોઈ કસર બાકી નહી રહી જાય અને વિવિધ પ્રોજેક્‍ટોના કાર્યાન્‍વયનમાં કોઈ ક્ષતિ નહી રહે તે માટે ઉચ્‍ચ અધિકારીઓ સાથે મનન-મંથન અને મસલત કરી હતી.
આજે સેલવાસ સચિવાલયના સભાખંડમાં પણ અધિકારીઓ સાથે બેઠક યોજી ભાવિ યોજનાઓની રૂપરેખા સમજી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્‍યા બાદ વિવિધ વિકાસના કામોની મુલાકાત માટે પ્રસ્‍થાન કર્યુ હતું.

Related posts

દીવ ન.પા.ની ચૂંટણીમાં વરસાદની રમઝટ વચ્‍ચે 60.88 ટકા મતદાનઃ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન: શનિવારે થનારી મત ગણતરી સુધી 7 વોર્ડના ઉમેદવારોનું ભાવિ સીલ

vartmanpravah

વાપી ભાજપ પરિવાર દ્વારા લોખંડી પુરુષ, ભારત રત્‍ન સરદાર પટેલની પુણ્‍યતિથિજી ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહની આલોક પબ્‍લિક સ્‍કૂલનું સરાહનીય પગલું: સામરવરણીની અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

vartmanpravah

દાનહ જિ.પં.ના સભાખંડમાં મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માએ ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિઓને ઘન કચરા વ્‍યવસ્‍થાપનની આપેલી સમજ

vartmanpravah

નાની દમણ હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે યોજાયેલ વાર્ષિક સામાન્ય સભામાં સ્માશાન ભૂમિના નવનિર્માણ માટે થયેલું મનોમંથન

vartmanpravah

…તો યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિ.ના લીઝને રદ્‌ કરવાની સત્તા પ્રશાસન હસ્‍તક હોવી જોઈએ

vartmanpravah

Leave a Comment