સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના સામાજિક, આર્થિક, શૈક્ષણિક તથા સાંસ્કૃતિક વિકાસમાં કોઈ કસર બાકી નહી રહી જાય અને વિવિધ પ્રોજેક્ટોના કાર્યાન્વયનમાં કોઈ ક્ષતિ નહી રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ સાથે કરેલું મનન-મંથન અને મસલત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.09
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણ સચિવાલય ખાતે લગાતાર ત્રણ દિવસ અધિકારીઓ અને વિવિધ એજન્સીઓના પ્રેઝન્ટેશન નિહાળી જરૂરી સૂચનાઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી. સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવના સામાજિક, આર્થિક, શૈક્ષણિક તથા સાંસ્કૃતિક વિકાસમાં કોઈ કસર બાકી નહી રહી જાય અને વિવિધ પ્રોજેક્ટોના કાર્યાન્વયનમાં કોઈ ક્ષતિ નહી રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ સાથે મનન-મંથન અને મસલત કરી હતી.
આજે સેલવાસ સચિવાલયના સભાખંડમાં પણ અધિકારીઓ સાથે બેઠક યોજી ભાવિ યોજનાઓની રૂપરેખા સમજી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યા બાદ વિવિધ વિકાસના કામોની મુલાકાત માટે પ્રસ્થાન કર્યુ હતું.