(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.28: સિવિલ કોર્ટ, ગણદેવી ખાતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી દ્વારા ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત વર્કશોપ/સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા કોર્ટના પ્રમુખ શ્રી કે.જે. દસોંદીએ વકીલશ્રીઓને કાયદા અંતર્ગત ગ્રાહકોનાઅધિકાર વિષયક માહિતી આપી હતી. તેમજ આ કાયદા હેઠળ કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગ્રાહક સુરક્ષા કોર્ટના શ્રી જે.એમ. મેવાવાળાએ ગ્રાહક સુરક્ષા ધારાનો ઈતિહાસ તથ આ કાયદા હેઠળ ગ્રાહકને મળતા લાભો વિશે વકીલશ્રીઓને માહિતગાર કર્યા હતાં.
જેમાં વાંસદા કોર્ટના પ્રિન્સીપલ સિવિલ જજશ્રી એડિશનલ ડિસ્ટ્રીકટ જજશ્રી ગણદેવી બાર એસોસિએશનના પ્રમુખ શ્રી તથા વકીલશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.