April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ઉમરગામ પાલિકાની જમીન ઉપર ડી.આઈ.એલ.આર દ્વારા માપણી હાથ ધરાતા દબાણકરનારાઓમાં ફફડાટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.14
સરીગામ, ઉમરગામ પાલિકાના માલિકીની સર્વે નંબર 279ની 12 ગુંઠા જમીનની હદ નક્કી કરવા આજરોજ જિલ્લા જમીન નિરક્ષક દફતર કચેરી દ્વારા માપણી હાથ ધરવામાં આવી હતી.
આજરોજ બપોરના 12 કલાકના અરસામાં પાલિકાના ચીફ ઓફિસર શ્રી જીગ્નેશભાઈ બારોટ અને પાલિકાના અન્‍ય કર્મચારીઓની હાજરી વચ્‍ચે માપણીની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઉમરગામ ટાઉન થી સ્‍ટેશન તરફ જતા મુખ્‍ય માર્ગને અડીને દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીની સામે આવેલી સોનાની લગડી સમાન જમીન ઉપર લાગુ જમીન ધરાવતા એક બિલ્‍ડર દ્વારા દબાણ કર્યું હોવાની આશંકા જણાઈ રહી હતી. અને આ જમીન ખુલ્લી કરવા પાલિકાના ગ્રામજનોમાં વ્‍યાપક માંગ ઉભી થવા પામી હતી. જેના પગલે પાલિકા ઓથોરિટી દ્વારા ડી આઈ એલ આર વિભાગને માપણી કરી હદ નક્કી કરવા અરજી કરવામાં આવી હતી.
જેના અનુસંધાનમાં આજરોજ ડી આઈ એલ આરના અધિકારીઓએ માપણીની કામગીરી પૂર્ણ કરી હતી. માપણીની કામગીરી દરમિયાન સ્‍થળ નિરીક્ષણ કરતા સર્વે નંબર 279 ની 12 ગુંઠા ક્ષેત્રફળ ધરાવતી જમીન ઉપર દબાણ થયું હોવાનું પ્રથમ નજરે તારણ બહાર આવી રહ્યું હતું. જેથી હદ નક્કી કરવા માટે સર્વે નંબર 279ને લાગુ તમામજમીનોની માપણી કરવામાં આવી હતી.
માપણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડી આઈ એલ આરના અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, તમામ સર્વે નંબરની હદની મેળાવણું નક્કી કર્યા બાદ નકશો તૈયાર કરવામાં આવશે. માપણીના સંદર્ભમાં સ્‍થળ ઉપર હાજર પાલિકાના ચીફ ઓફિસર શ્રી જીગ્નેશભાઈ બારોટે જણાવ્‍યું હતું કે ડીઆઈએલ આર દ્વારા માપણી શીટ તૈયાર થયા બાદ દબાણ કરનારાઓ સામે તાત્‍કાલિક અસરથી નિયમોનુસાર પગલાં ભરવામાં આવશે.
આમ આજરોજ પાલિકા દ્વારા ડી આઈ એલ આરના માધ્‍યમથી માપણીની કામગીરી હાથ ધરતા દબાણ કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામી છે.

Related posts

વલસાડ જિલ્લા કક્ષાના બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની ડીસીઓ સાર્વજનિક હાઈસ્‍કુલ ખાતે શરૂઆત

vartmanpravah

શનિવારે દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા લાભાર્થી સંમેલન યોજાશેઃ કેન્‍દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્‍ય મંત્રી કૌશલ કિશોરની રહેનારી વિશેષ ઉપસ્‍થિતિ

vartmanpravah

‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ‘યુવા દેશ યુવા ભારત’ ભારતનું સપનું પણ યુવા છે અને મન પણ યુવા છે…

vartmanpravah

સંઘપ્રદેશની કાયાપલટ કરી વિકસિત પ્રદેશ બનાવવા રાત-દિવસ મહેનત કરનારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિને શુભકામના પાઠવવા શુભેચ્‍છકોની લાગેલી લાંબી કતાર

vartmanpravah

દીવના વણાકબારાથી 150 કિલોમીટર દૂર જલારામ કૃપા બોટમાં પાણી ભરાતા દરિયામાં ગરકાવ: ખલાસીઓનો બચાવ

vartmanpravah

દાનહઃ ગ્રામ પંચાયત દપાડાના સહયોગથી બાલ ગૃહમાં બાળસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment