(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.14
ઉમરગામ ટાઉનમાં રાહુલ જવેલર્સ નામની સોના- ચાંદીની દુકાનમાં આજરોજ સાંજના 4.00 કલાકના અરસામાં કાળાસર્ટ પહરેલ બે લૂંટારું ત્રાટકયા હતા. અને દુકાનના માલિક અભય ઇન્દુલકર પર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ દુકાનમાં રાખેલ સોના ચાંદીના ઘરેણાની લૂંટ કરી ભાગી છૂટયા હતા.
લૂંટની ઘટના બાદ ઘાયલમનના માલિક દુકાનની બહાર આવી બૂમાબૂમ કરતા આજુબાજુની લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ સ્ટેશનને થતા સ્થાનિક પોલીસ તંત્ર ઘટનાસ્થળે ઘસી આવી લૂંટારુંઓ પગેરું શોધવાની કામગીરી હાથ ધરી હતી.
આ ઘટનાની જાણથી વલસાડ એલસીબીની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. લૂંટારૂઓને ઝડપી પાડવા તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે અને ઉમરગામ ટાઉનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજો તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘાયલ દુકાનના માલિક અભય ઇન્દુલકરને સારવાર અર્થે ઉમરગામની હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.