April 26, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ઉમરગામ ટાઉનમાં રાહુલ જવેલર્સ દુકાનને લૂંટારુઓએ ટાર્ગેટ બનાવી ત્રાટકેલા બે લૂંટારુઓએ જવેલર્સના માલિક ઉપર છરા વડે જીવલેણ હુમલો કરી સોના-ચાંદીની લૂંટ ચલાવી ભાગી છૂટયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.14
ઉમરગામ ટાઉનમાં રાહુલ જવેલર્સ નામની સોના- ચાંદીની દુકાનમાં આજરોજ સાંજના 4.00 કલાકના અરસામાં કાળાસર્ટ પહરેલ બે લૂંટારું ત્રાટકયા હતા. અને દુકાનના માલિક અભય ઇન્‍દુલકર પર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્‍યારબાદ દુકાનમાં રાખેલ સોના ચાંદીના ઘરેણાની લૂંટ કરી ભાગી છૂટયા હતા.
લૂંટની ઘટના બાદ ઘાયલમનના માલિક દુકાનની બહાર આવી બૂમાબૂમ કરતા આજુબાજુની લોકો દોડી આવ્‍યા હતા. ઘટનાની જાણ તાત્‍કાલિક પોલીસ સ્‍ટેશનને થતા સ્‍થાનિક પોલીસ તંત્ર ઘટનાસ્‍થળે ઘસી આવી લૂંટારુંઓ પગેરું શોધવાની કામગીરી હાથ ધરી હતી.
આ ઘટનાની જાણથી વલસાડ એલસીબીની ટીમ પણ ઘટના સ્‍થળે દોડી આવી હતી. લૂંટારૂઓને ઝડપી પાડવા તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે અને ઉમરગામ ટાઉનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજો તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘાયલ દુકાનના માલિક અભય ઇન્‍દુલકરને સારવાર અર્થે ઉમરગામની હોસ્‍પિટલ બાદ વધુ સારવાર અર્થે વાપીની હરિયા હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

Related posts

સંસ્‍કાર વિદ્યાપીઠ વાપી છરવાડા દ્વારા વી.આઈ.એ. હોલમાં શાનદાર એન્‍યુઅલ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

vartmanpravah

સેલવાસના ખાડીપાડામાં એક પરિવારમાં આંતરિક ઝઘડામાં માતા-પુત્રીની કરાયેલી નિર્મમ હત્‍યા

vartmanpravah

રાજ્‍ય કક્ષાની સ્‍વિમિંગ સ્‍પર્ધામાં વાપીના યુગ ટંડેલએ મેળવ્‍યો દ્વિતીય ક્રમાંક

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને પરસોત્તમ રૂપાલાની કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૫૧,૪૩૩ ઉમેદવારો બોર્ડની પરીક્ષા આપશે: પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં બેઠક મળી: પરીક્ષાર્થીઓ માટે આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઇન શરૂ કરાઇ

vartmanpravah

Leave a Comment