December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા મુખ્‍ય કાર્યકારી અધિકારીની અધ્‍યક્ષતામાં સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ, 2021 ના સંદર્ભમાં બેઠક યોજાઈ

આજથી દમણમાં સર્વેક્ષણ ટીમ દ્વારા સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ, 2021ની શરૂઆત
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15

દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીશ્રીની અધ્‍યક્ષતામાં, આજે15.02.2022 ના રોજ, દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના સરપંચો; બ્‍લોક વિકાસ અધિકારી, દમણ; બાળ વિકાસ પ્રોજેક્‍ટ ઓફિસર; તમામ ગ્રામ પંચાયતોના સચિવ, એનઆરએલએમના કર્મચારીઓ સાથે સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ, 2021 ના સંદર્ભમાં બેઠક યોજવામાં આવી હતી.
સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ, 2021અભિયાન એ જલ શક્‍તિ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવતું વાર્ષિક સર્વેક્ષણ છે, જેમાં ભારતના રાજ્‍યો/કેન્‍દ્રશાસિત પ્રદેશો અને જિલ્લાઓનું મૂલ્‍યાંકન કરવામાં આવે છે અને સ્‍વચ્‍છતા ધોરણોના આધારે રેન્‍કિંગ કરવામાં આવે છે.
બેઠકમાં તમામ સરપંચો અને અધિકારીઓને આ અભિયાન હેઠળ પોતપોતાની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને તેઓને આ સર્વે દરમિયાન તટસ્‍થ અને ન્‍યાયી મૂલ્‍યાંકન માટે પંચાયતના સભ્‍યો અને સામાન્‍ય જનતાને જાગળત કરવા જણાવવામાં આવ્‍યુ હતું. તેમજ સર્વે દરમિયાન સર્વેક્ષણ ટીમને પોતાનો સહયોગ આપવા માટે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત તમામ સહભાગી સભ્‍યોને જાણ કરવામાં આવી હતી કે સર્વેક્ષણ ટીમ 16.02.2022થી દમણ જિલ્લાની મુલાકાત લેવાનું શરૂ કરશે.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ ઉમરગામ અને શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્‍ટ દ્વારા મફત આંખની તપાસના કેમ્‍પનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

યુઆઈએના પ્રમુખ નરેશ બંથીયાએ કુદરતી વહેણ અવરોધતા પાણી ભરાવાની સર્જાતી સમસ્‍યા તરફ સંબધિત વિભાગો અને જનપ્રતિનિધિઓનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

વલસાડ ખાતે અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠનની પ્રથમ જિલ્લા મીટિંગ મળી

vartmanpravah

દીવ એરપોર્ટ વિભાગ દ્વારા સરકારી ઉચ્‍ચ પ્રાથમિક-માધ્‍યમિક શાળા નાગવા ખાતે ‘ભ્રષ્‍ટાચાર મુક્‍ત ભારત’ કાર્યક્રમનું થયું આયોજન

vartmanpravah

સલવાવ બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની પાંચ વિદ્યાર્થીનીઓ જી.ટી.યુ.ના ટોપ ટેનમાં આવી ઐતિહાસિક સિધ્‍ધી પ્રાપ્ત કરી

vartmanpravah

બે બોગસ જન્‍મ પ્રમાણપત્ર રાખવાના પ્રકરણમાં દીવ જિ.પં.ના સભ્‍ય પદેથી ઉમેશ રામા બામણિયાને સસ્‍પેન્‍ડ કરાયા: સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતે જારી કરેલો આદેશ

vartmanpravah

Leave a Comment