(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ પંચાયતના પટાંગણમાં સાંજે 4:00 વાગ્યે સ્મરણાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્મરણાંજલિ સભામાં દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ રત્ન મહામાનવ ડો. બાબાસાહેબ આંબેડકર પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરશે.