July 18, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડ

ધરમપુર-કપરાડાના ગામડાને જોડતો ઢાંકવળ અને નાદગામ વચ્‍ચેનો પુલ તૂટી જતા ભારે પેચીદી સમસ્‍યા સર્જાઈ

ઢાંકવળથી નાદગામ અવર-જવર કરવા લોકોને 10 કિ.મી.નો ચકરાવો મારવો પડે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: ધરમપુર-કપરાડાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ચોમાસાએ ભારે તારાજી સર્જી છે અને કોઝવે, પુલ, રસ્‍તા તણાઈ ગયા છે કે તૂટીગયા છે. પરિણામે સ્‍થાનિક ગ્રામજનોને માટે અનેક વિસ્‍તારોમાં અવર-જવર માટે ભારે પેચીદી સમસ્‍યાઓ ઠેર-ઠેર સર્જાઈ રહી છે. તેવી સમસ્‍યા ધરમપુર તાલુકો અને કપરાડા તાલુકાને જોડતો ઢાંકવણ અને નાદગામ વચ્‍ચે આવેલો પુલ તૂટી જવા પામ્‍યો છે. તેથી બન્ને ગામો વચ્‍ચેની અવર-જવરની મુશ્‍કેલીઓ ઉભી થઈ ચૂકી છે.
ધરમપુર અને કપરાડાને સંકલિત કરતો ઢાંકવળ અને નાદગામ વચ્‍ચેનો એકમાત્ર મહત્ત્વનો પુલ હતો જે વરસાદમાં તૂટી ધોવાઈ ગયો છે. જેને લીધે બન્ને ગામો વચ્‍ચે અવર-જવર કરવા લોકોએ માત્ર બે કિ.મી. અંતર કાપવા ફરી ચક્રાવો 10 કિ.મી.નો મારવો પડે છે. આ સમસ્‍યા અંગે ઉચ્‍ચ સ્‍તરે ધરમપુર તા.પં.ના સભ્‍ય કલ્‍પેશ પટેલએ ઉચ્‍ચ રજૂઆત કરીને માંગણી કરી છે કે વહેલી તકે તંત્ર સમસ્‍યાનો અંત લાવે.

Related posts

મુંબઈ ઘાટકોપર રહેતા ૮૪ વર્ષિય ઉદ્યોગપતિ વાપી ખાતે માતાની સ્મૃતિમાં રૂ.૧પ કરોડના ખર્ચે કેન્સર હોસ્પિટલ બનાવશે

vartmanpravah

મૃત મરઘાઓ ફેંકી જવાના અખબારી અહેવાલ બાદ ચીખલી દોણજાની નાની ખાડીમાં આરોગ્‍ય વિભાગના અધિકારીઓએ સ્‍થળ નિરીક્ષણ હાથ ધરેલી તપાસ

vartmanpravah

વડાપ્રધાનના જન્મદિવસે વડનગરમાં યોજાનારા કવિ સંમેલનમાં ધેજ ભરડાની શિક્ષિકા ચેતનાબેન પટેલ ભાગ લઈ કવિતાનું પઠન કરશે

vartmanpravah

રાષ્ટ્રપતિ શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ-2019 વિજેતા વિરેન્‍દ્રભાઈ પટેલનું વાપી પી.ટી.સી. કોલેજમાં ‘શિક્ષક દિન’ નિમિત્તે કરાયેલું સન્‍માન

vartmanpravah

દમણ નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા સ્‍પોર્ટ્‍સ મીટ યોજાઈ

vartmanpravah

માંગવાનું વધ્‍યું ત્‍યાર થી ભક્‍તિ નિસતેજ બની છે : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

Leave a Comment