Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડ

ધરમપુર-કપરાડાના ગામડાને જોડતો ઢાંકવળ અને નાદગામ વચ્‍ચેનો પુલ તૂટી જતા ભારે પેચીદી સમસ્‍યા સર્જાઈ

ઢાંકવળથી નાદગામ અવર-જવર કરવા લોકોને 10 કિ.મી.નો ચકરાવો મારવો પડે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: ધરમપુર-કપરાડાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ચોમાસાએ ભારે તારાજી સર્જી છે અને કોઝવે, પુલ, રસ્‍તા તણાઈ ગયા છે કે તૂટીગયા છે. પરિણામે સ્‍થાનિક ગ્રામજનોને માટે અનેક વિસ્‍તારોમાં અવર-જવર માટે ભારે પેચીદી સમસ્‍યાઓ ઠેર-ઠેર સર્જાઈ રહી છે. તેવી સમસ્‍યા ધરમપુર તાલુકો અને કપરાડા તાલુકાને જોડતો ઢાંકવણ અને નાદગામ વચ્‍ચે આવેલો પુલ તૂટી જવા પામ્‍યો છે. તેથી બન્ને ગામો વચ્‍ચેની અવર-જવરની મુશ્‍કેલીઓ ઉભી થઈ ચૂકી છે.
ધરમપુર અને કપરાડાને સંકલિત કરતો ઢાંકવળ અને નાદગામ વચ્‍ચેનો એકમાત્ર મહત્ત્વનો પુલ હતો જે વરસાદમાં તૂટી ધોવાઈ ગયો છે. જેને લીધે બન્ને ગામો વચ્‍ચે અવર-જવર કરવા લોકોએ માત્ર બે કિ.મી. અંતર કાપવા ફરી ચક્રાવો 10 કિ.મી.નો મારવો પડે છે. આ સમસ્‍યા અંગે ઉચ્‍ચ સ્‍તરે ધરમપુર તા.પં.ના સભ્‍ય કલ્‍પેશ પટેલએ ઉચ્‍ચ રજૂઆત કરીને માંગણી કરી છે કે વહેલી તકે તંત્ર સમસ્‍યાનો અંત લાવે.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ટ્રાન્સપોર્ટર્સ પ્રમુખનો શપથવિધી સમારોહ યોજાયો

vartmanpravah

44મી ચેસ ઓલિમ્‍પિયાડ મશાલ રીલેનું દમણમાં કરાયેલું ભવ્‍ય સ્‍વાગત મોબાઈલમાં માહિતી મળશે પરંતુ તંદુરસ્‍તી તો ખેલના મેદાનમાં જ મળશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

મગરવાડા ગ્રા.પં.માં જીએસટી શિબિર યોજાઈ

vartmanpravah

ભામટી ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં સાદગી અને શૌર્ય સાથે 62મા મુક્‍તિ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર, વલસાડ દ્વારા ‘કેચ ધ રેઇન’ કાર્યક્રમ અંતર્ગત પાણી સંરક્ષણ અંગે જનજાગૃતિ અભિયાન

vartmanpravah

સામ્‍યવાદીઓને આ પ્રદેશમાં કોઈપણ હિસાબે ઘૂસણખોરી કરવા દેવી જોઈએ નહીં

vartmanpravah

Leave a Comment