Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ માલવણ કોસ્‍ટલ હાઈવે ઉપર મધરાતે બુટલેગરની કારે 19 ગાયો અડફેટે લીધી : 11 એ જીવ ગુમાવ્‍યા

ડુંગરી પોલીસ, ગૌરક્ષકોએ જીવીત 8 ગાયોને નવસારી પાંજરાપોળમાં સારવારમાં મોકલી, 11 ગાયોની દફનવિધી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડ માલવણ કોસ્‍ટલ હાઈવે ઉપર ગતરોજ મધરાતે બુટલેગર બેફામ કાર હંકારી દઈને રોડ ઉપર બેઠેલી 19 ગાયોને કચડી મારી હતી. ઘૃણાસ્‍પદ આ અકસ્‍માતમાં 11 ગાયોએ દમ તોડી દીધો હતો જ્‍યારે ઘાયલ થયેલ 8 ગૌવંશને પોલીસે અને ઘટના સ્‍થળે દોડી આવેલ ગૌરક્ષકોએ નવસારી ખડછીયા પાંજરાપોળમાં સારવાર માટે મોકલી આપી હતી. મૃત ગાયોની માલવણમાં દફનવિધી કરાઈ હતી. ગૌવંશો સાથે થયેલી ક્રુર ઘટનાને લઈ જીવદયા પ્રેમીઓમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.
વલસાડ માલવણ કોસ્‍ટલ હાઈવે ઉપર બુટલેગર કાર નં.જીજે 16 બીએન 7334 નશાની ચકચૂર હાલતમાં મધરાતે હંકારી રહ્યો હતો તે દરમિયાન રસ્‍તા ઉપર બેઠેલ ગૌવંશો ઉપર ક્રુરતાપૂર્વક કાર હંકારી દીધી હતી. જેમાં 19 ગાયો પૈકી 11 ગૌવંશના ઘટના સ્‍થળે મોત નિપજ્‍યા હતા તેમજ 8 ગૌવંશ ઘાયલ થયા હતા. ઘટનાની જાણ ડુંગરી પી.એસ.આઈ. ઝાલાને થતા જ ટીમ સાથે ઘટના સ્‍થળે ધસી આવ્‍યા હતા. અકસ્‍માત સર્જી બુટલેગર ગાડી છોડી ગયેલાનુંજણાયું હતું. પોલીસે વલસાડ અગ્નીવિર ગૌસેનાને જાણ કરતા ગૌસેવકો દોડી આવ્‍યા હતા. પોલીસે અને ગૌસેવકોએ બુટલેગરની શોધ હાથ ધરી હતી. જેમાં નજીકમાં જ પાણી ભરેલ ખાડામાં છુપાયેલો મળી આવ્‍યો હતો. બીજી તરફ બિલીમોરાના ગૌસેવકો પણ ઘટનાની જાણ થતા દોડી આવ્‍યા હતા. તમામ ગૌસેવકોએ માલવણના સરપંચ અને ગ્રામજનોની મદદથી 11 ગાયોની દફનક્રિયા કરી હતી. જ્‍યારે ઘાયલ 8 ગાયોને ખડછીપા પાંજરાપોળમાં સારવાર માટે ખસેડી હતી. જ્‍યાં ગૌવંશ સારવાર હેઠળ છે. સ્‍થાનિક લોકો અને ગૌરક્ષકોએ પોલીસને ભારપૂર્વક રજૂઆત કરી હતી કે પકડાયેલ બુટલેગરને સખ્‍ત સજા થવી જોઈએ. કારણ કે બુટલેગરો ગૌવંશોની ક્રુર હત્‍યા કરી છે. મધરાતે ઘટેલી ઘટનાની જાણ આજુબાજુમાં પ્રસરી જતા જીવદયા પ્રેમીઓમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી.

Related posts

8મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે સમસ્‍ત સંઘપ્રદેશમાં સૂર્યોદયની સાથે છવાયેલો યોગ અભ્‍યાસ: મોટી દમણના જમ્‍પોર બીચ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં યોજાયો વિશાળ યોગાભ્‍યાસ

vartmanpravah

ઓરવાડથી વરલી મટકાનો જુગાર રમાડતા બે ઝડપાયા

vartmanpravah

વાપી ગુંજન ચાર રસ્‍તા, ગીતાનગર સહિત અનેક વિસ્‍તારોમાં વરસાદી ખાડા તેમજ પાણી ભરાવાથી વણસેલી સ્‍થિતિ

vartmanpravah

વલસાડ જિલ્લામાં એકપણ નવો કોરોના પોઝિટિવ કેસો નોંધાયો નથી

vartmanpravah

વલસાડમાં ટ્રાફિક અડચણરૂપ લારીગલ્લા પાલિકાએ હટાવ્‍યા

vartmanpravah

સરીગામના અગ્રણી રાકેશ રાયે સેવાભાવી કામગીરી સાથે ઉજવેલો જન્‍મદિવસ

vartmanpravah

Leave a Comment