Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

સરીગામ પંચાયતે પકડેલી વિકાસની તેજ રફતારઃ રૂ.18 લાખના વિકાસના કામોના લોકાર્પણ સાથે રૂા.15.5 લાખના ખર્ચે નિર્માણ થનારા કામોના કરવામાં આવેલ ખાતમુર્હૂત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.22
ઉમરગામ તાલુકાની સરીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વધાત અને એમની ટીમે ગ્રામ પંચાયતની વણવપરાયેલ પડેલ ગ્રાન્‍ટનો પ્રજાની સુખાકારી માટે સવલતો ઉભી કરવા કામગીરી હાથ ધરી છે. જેમાં જરૂરિયાત જણાતી પાયાની સુવિધાની કામગીરી પણ વહેલી તકે પૂર્ણ કરવા ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું છે.
સરીગામના રાજકીય અગ્રણી અને માર્ગદર્શક શ્રી રાકેશભાઈ રાયના માર્ગદર્શન હેઠળ પ્રશંસનીય કામગીરી કરતા ગતરોજ રૂા. 18 લાખના ખર્ચે પૂર્ણ થયેલા વિકાસના કામોની લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી.
સરીગામ વાડી ફળિયા લક્ષ્મી નગર ખાતે રૂા. 10 લાખના ખર્ચે નિર્માણ થયેલો ડામર રોડ, સરીગામ મુખ્‍ય તળાવ જ્‍યાં ગણેશ વિસર્જન અને ધાર્મિક વિધિ માટે ખાસ ઉપયોગમાં આવતું સ્‍થળે રૂા. 3.5 લાખના ખર્ચે પથ્‍થરની પિચિંગ અને રૂા.4.5 લાખના ખર્ચે પૂર્ણ થયેલી પગથિયાની કામગીરીનુ લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.
આ ઉપરાંત સરીગામ ત્રણ રસ્‍તાઅંધેર ફળિયા, સરીગામ મુક્‍તિધામ, પટેલ ફળિયા, સરીગામ બોન્‍ડપાડા રામા ફળિયા અને બ્રાહ્મણ ફળિયામાં રૂા.15.5 લાખના ખર્ચે નિર્માણ થનારા પેવર બ્‍લોક કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત તેમજ તાલુકા પંચાયતના સભ્‍ય શ્રીમતી ઉર્મિલાબેન દુમાડા, સરીગામ અગ્રણી શ્રી રાકેશભાઈ રાય, પંચાયતના સભ્‍યશ્રી દલપતભાઈ ગંજાડીયા, શ્રી ગણેશભાઈ કોમ, ઉપરાંત શ્રી ગામના આગેવાન શ્રી વિનોદભાઈ ઠાકોર, શ્રી નીરજભાઈ રાય, શ્રીમતી ભકતીબેન નાયક, શ્રી ઉત્તમભાઈ દુમાડા, ડોક્‍ટર આશિષ આરેકર, સહિતના આગેવાનોની હાજરી જોવા મળી હતી.

Related posts

સેલવાસમાં રોહિત સમાજ દ્વારા રક્‍તદાન અને તબીબી તપાસ શિબિર યોજાઈ: 500થી વધુ લાભાર્થીઓએ લીધેલો લાભઃ 165 યુનિટએકત્રિત કરાયેલું રક્‍ત

vartmanpravah

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે તહેવારોમાં ભક્‍તોની ભીડ ઉમટી

vartmanpravah

નગવાસથી સુરજીભાઇ ગુમ

vartmanpravah

દમણ જિલ્લામાંથી કુપોષણની સમસ્‍યા નાબુદ કરવા આપવામાં આવેલું સામાજિક ઓડિટ ઉપર જોર

vartmanpravah

કેન્‍દ્રિય આવાસ અને શહેરી વિકાસ રાજ્‍યમંત્રી કૌશલ કિશોરે ખાનવેલ ખાતે વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં આપેલી હાજરી

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં પોલીસ તંત્રનો સેમીનાર: ઈ-એફઆઈઆરથી ઉપસ્‍થિતોને અવગત કરાયા

vartmanpravah

Leave a Comment