Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડ જિલ્લામાંકોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો

વલસાડઃ તા. 24: વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા કોવિડ-19 ના રોગચાળાને કાબુમાં લેવા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. રાજ્‍ય સરકાર દ્વારા ટેસ્‍ટ-ટ્રેક-ટ્રીટમેન્‍ટના ત્રિસૂત્રથી આ રોગના દર્દીઓને વહેલા શોધી સમયસર સારવાર કરવામાં આવે છે, જેના થકી હાલ કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કોરોના મહામારીના થર્ડવેવમાં તા.23મી ફેબ્રુઆરી, 2022ના રોજ કોવિડ-19 પોઝિટિવનો એકપણ કેસ નોંધાયો નથી, આ અગાઉ તા.29/11/2021ના રોજ કોવિડ-19નો એકપણ કેસ નોંધાયો ન હતો. વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ માસ દરમિયાન નોંધાયેલા કેસોની વિગતો જોઈએ તો ડિસેમ્‍બર-2021માં 114 કેસ, જાન્‍યુઆરી-2022માં 5887 કેસ અને ફેબ્રુઆરી-22માં તા.23મી સુધી 416 કેસ નોંધાયા હોવાનું મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા જણાવાયું છે.

Related posts

વલસાડ જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખ કોણ? રાજકીય સસ્‍પેન્‍સનો અંત : નવા હોદ્દેદારો જાહેર

vartmanpravah

રવિવારે દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પર્સનાલિટી ડેવલપમેન્‍ટના વિષય ઉપર ગેસ્‍ટ લેકચર યોજાયો

vartmanpravah

બેંકના વહીવટદાર અને સંઘપ્રદેશના સંયુક્‍ત નાણાં સચિવ કરણજીત સિંહ વાડોદરિયાની ઉપસ્‍થિતિમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયેલા બે બ્રાન્‍ચ મેનેજરોને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

વાઘછીપા લૂંટના વોન્‍ટેડ આરોપીને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

પ્રશાસનની ઝીરો ટોલરન્‍સની નીતિ મુજબ સેલવાસ નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે પણ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

vartmanpravah

Leave a Comment