June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડ જિલ્લામાંકોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો

વલસાડઃ તા. 24: વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા કોવિડ-19 ના રોગચાળાને કાબુમાં લેવા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. રાજ્‍ય સરકાર દ્વારા ટેસ્‍ટ-ટ્રેક-ટ્રીટમેન્‍ટના ત્રિસૂત્રથી આ રોગના દર્દીઓને વહેલા શોધી સમયસર સારવાર કરવામાં આવે છે, જેના થકી હાલ કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કોરોના મહામારીના થર્ડવેવમાં તા.23મી ફેબ્રુઆરી, 2022ના રોજ કોવિડ-19 પોઝિટિવનો એકપણ કેસ નોંધાયો નથી, આ અગાઉ તા.29/11/2021ના રોજ કોવિડ-19નો એકપણ કેસ નોંધાયો ન હતો. વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ માસ દરમિયાન નોંધાયેલા કેસોની વિગતો જોઈએ તો ડિસેમ્‍બર-2021માં 114 કેસ, જાન્‍યુઆરી-2022માં 5887 કેસ અને ફેબ્રુઆરી-22માં તા.23મી સુધી 416 કેસ નોંધાયા હોવાનું મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા જણાવાયું છે.

Related posts

વાપીના ચલા ખાતે સન રેસીડેન્‍સીમાં પારિવારિક માહોલ સાથે નવરાત્રીનું ભવ્‍ય આયોજન

vartmanpravah

વાપી નગરપાલિકાના સફાઈ અભિયાનનો છેદ ઉડયો: જુનુ શાકમાર્કેટ ગટરના પાણીમાં તરબોળ

vartmanpravah

મિત્રો સાથે સાપુતારા ફરવા નિકળેલા નવસારીના બે યુવાનોના ચીખલી વાંઝણાપાસે થયેલ માર્ગ અકસ્‍માતમાં મોત

vartmanpravah

દીવ રેલ્‍વે બુકિંગ ઓફિસ ફરી કાર્યરત થઈ

vartmanpravah

નવસારીની સયાજી વૈભવ પુસ્‍તકાલયમાં પર્યાવરણલક્ષી પ્રોજેક્‍ટ તેમજ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો

vartmanpravah

દાનહના ડોકમરડી ખાતે ભારત સ્‍કાઉટ ગાઈડના બેઝિક લીડરશીપ પ્રશિક્ષણ શિબિરનું સમાપનઃ દાનહની વિવિધ શાળાઓના 39 શિક્ષકોએ લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment