April 25, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ દાનહ ભાજપ સાથે સતત 32 વર્ષથી જોડાયેલા કાર્યકરોનું કરેલું સન્‍માન

  • દાનહના પૂર્વ પ્રદેશ પ્રમુખ દિપક જાદવ, પૂર્વ પ્રમુખ દિગ્‍વિજયસિંહ પરમાર અને પૂર્વ મહામંત્રી નરવીરસિંહ પરમારના યોગદાનને યાદ કરી શાલ, ફુલ અને શ્રીફળથી કરાયેલું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15
ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ શ્રી કૈલાશ વિજયવર્ગીય દાદરા નગર હવેલીના પ્રવાસ દરમિયાન ભાજપના 1989માં દાદરા નગર હવેલીની સ્‍થાપના કરનારા અને 32 વર્ષોથી સતત કાર્યરત એવા ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી દિપક જાદવ અને શ્રી દિગ્‍વિજયસિંહ પરમાર અને પૂર્વ મહામંત્રી શ્રી નરવીર સિંહ પરમારનુંતેમના નિવાસસ્‍થાને શાલ, ફુલ અને શ્રીફળ આપી સન્‍માન કરાયું હતું. તે દરમિયાન પ્રદેશ પ્રભારી અને મહાસચિવ શ્રીમતી વિજયા રહાટકર અને પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.
શ્રી કૈલાસ વિજયવર્ગીય તમામને પ્રોત્‍સાહિત કરતા જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલીમાં તમારા જેવા જૂના કાર્યકરોની મહેનત અને સતત કામના કારણે લોકસભામાં અને સ્‍થાનિક સંગઠનમાં ભાજપ ત્રણ વખત સત્તામાં આવી શકયું છે અને 32 વર્ષ સુધી ભાજપમાં કાર્યરત રહેવા બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રચનાત્‍મક પરિવર્તનલક્ષી દીર્ઘદૃષ્‍ટિનું પરિણામ : સેલવાસના જૂના સચિવાલય બિલ્‍ડીંગ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી કેમ્‍પસનો આરંભ

vartmanpravah

વાપી રેલવે પુલનો પૂર્વ હિસ્‍સો તોડવાની કામગીરી મહદ્‌અંશે પુરી : સમય અવધિમાં પુલ તૈયાર થવાની વકી

vartmanpravah

દાનહના રખોલી મંડળમાં ‘મન કી બાત’નું સીધુ પ્રસારણ બતાવવામાં આવ્‍યુ઼ : મોટી સંખ્‍યામા લોકો રહ્યા ઉપસ્‍થિત

vartmanpravah

દાનહમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વાપી વિસ્‍તારના આંગડિયા, જવેલર્સ, બેન્‍કિંગ સંચાલકો સાથે જિલ્લા પોલીસે મીટીંગ યોજી

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે કરી નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે શુભેચ્છા મુલાકાત કરી આપેલા અભિનંદન

vartmanpravah

Leave a Comment