April 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ દાનહ ભાજપ સાથે સતત 32 વર્ષથી જોડાયેલા કાર્યકરોનું કરેલું સન્‍માન

  • દાનહના પૂર્વ પ્રદેશ પ્રમુખ દિપક જાદવ, પૂર્વ પ્રમુખ દિગ્‍વિજયસિંહ પરમાર અને પૂર્વ મહામંત્રી નરવીરસિંહ પરમારના યોગદાનને યાદ કરી શાલ, ફુલ અને શ્રીફળથી કરાયેલું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15
ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ શ્રી કૈલાશ વિજયવર્ગીય દાદરા નગર હવેલીના પ્રવાસ દરમિયાન ભાજપના 1989માં દાદરા નગર હવેલીની સ્‍થાપના કરનારા અને 32 વર્ષોથી સતત કાર્યરત એવા ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી દિપક જાદવ અને શ્રી દિગ્‍વિજયસિંહ પરમાર અને પૂર્વ મહામંત્રી શ્રી નરવીર સિંહ પરમારનુંતેમના નિવાસસ્‍થાને શાલ, ફુલ અને શ્રીફળ આપી સન્‍માન કરાયું હતું. તે દરમિયાન પ્રદેશ પ્રભારી અને મહાસચિવ શ્રીમતી વિજયા રહાટકર અને પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.
શ્રી કૈલાસ વિજયવર્ગીય તમામને પ્રોત્‍સાહિત કરતા જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલીમાં તમારા જેવા જૂના કાર્યકરોની મહેનત અને સતત કામના કારણે લોકસભામાં અને સ્‍થાનિક સંગઠનમાં ભાજપ ત્રણ વખત સત્તામાં આવી શકયું છે અને 32 વર્ષ સુધી ભાજપમાં કાર્યરત રહેવા બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દમણની સુપ્રસિદ્ધ પોલીકેબ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રેસિડેન્‍ટ રમેશ કુંદનાનીના માર્ગદર્શન અને કુશળ નેતૃત્‍વમાં થયેલો આરંભ

vartmanpravah

વલસાડમાં શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દમણ ન.પા.ના કાઉન્‍સિલર ચંદ્રગીરી ઈશ્વરની સંવેદનશીલપહેલથી લાચાર વૃદ્ધાનો સહારો બનેલું આયુષ્‍યમાન કાર્ડઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ગરીબલક્ષી નીતિથી દેશની ઓર એક વૃદ્ધાને મળેલું સ્‍વાવલંબી નવજીવન

vartmanpravah

દાદરા નગર હવેલી લેબર વિભાગ દ્વારા બે દિવસીય રોજગાર મેળો યોજાયો

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં નવરાત્રી મહોત્‍સવની ધૂમધામથી ઉજવણી

vartmanpravah

સાયલી નહેર નજીકથી યુવતીની લાશ મળી આવતા ચકચાર

vartmanpravah

Leave a Comment